Ahmedabad: અખંડાનંદ આયુર્વેદ કૉલેજ વિવાદમાં, થિયરી માટે વિદ્યાર્થીઓને છેક ગાંધીનગર મોકલાતા રોષ

અમદાવાદના લાલ દરવાજા સ્થિત અખંડાનંદ આયુર્વેદ કૉલેજમાં ત્રીજા અને ચોથા વર્ષના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ માટે અમદાવાદ જાય છે. જ્યારે થિયરી માટે ફરજિયાત ગાંધીનગરના કોલાવડા જવું પડી રહ્યું છે.

Ahmedabad: અખંડાનંદ આયુર્વેદ કૉલેજ વિવાદમાં, થિયરી માટે વિદ્યાર્થીઓને છેક ગાંધીનગર મોકલાતા રોષ
અખંડાનંદ આયુર્વેદિક કોલેજ (ફાઇલ ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 10:06 AM

અમદાવાદમાં (Ahmedabad) આવેલી સરકારી અખંડાનંદ આયુર્વેદ કૉલેજ (Ayurveda College) વિવાદમાં આવી છે. અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં આવેલી અખંડાનંદ કોલેજના વિદ્યાર્થીઓને થિયરી માટે છેક ગાંધીનગર (Gandhinagar) મોકલવામાં આવે છે. વારંવાર વિદ્યાર્થીઓએ આ અંગે તંત્રને રજૂઆતો કરી હોવા છતાં કોઈ ઉકેલ આવતો નથી. જેના કારણે વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી રહી છે. જેથી આખરે કંટાળેલા વિદ્યાર્થીઓએ વડાપ્રધાનને આ બાબતે ફરિયાદ કરી છે. જેને લઇને આ કોલેજ વિવાદમાં આવી છે.

આયુર્વેદના વિદ્યાર્થીઓએ વડાપ્રધાનને ફરિયાદ કરી

અમદાવાદના લાલ દરવાજા સ્થિત અખંડાનંદ આયુર્વેદ કૉલેજમાં ત્રીજા અને ચોથા વર્ષના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ માટે અમદાવાદ જાય છે. જ્યારે થિયરી માટે ફરજિયાત ગાંધીનગરના કોલાવડા જવું પડી રહ્યું છે. વિદ્યાર્થીઓને થિયરી માટે દુર દુર જવુ પડતુ હોવાથી મુશ્કેલી પડી રહી છે. જેથી આ બાબતે વિદ્યાર્થીઓએ કોલેજના પ્રિન્સિપાલથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી વારંવાર ફરિયાદો કરી છે, પણ મુશ્કેલીનો હજુ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો. જેથી હવે વિદ્યાર્થીઓએ અંતે વડાપ્રધાન સુધી ફરિયાદ કરી છે અને પોતાની પડતી હાલાકી વિશે જણાવ્યુ છે.

છેલ્લા એક મહિનાથી ગાંધીનગરના ધક્કા થતા વિદ્યાર્થીઓ પરેશાન

છેલ્લા એક મહિનાથી કૉલેજ જર્જરિત હોવાથી વિદ્યાર્થીઓને ગાંધીનગરના ધક્કા કરવા પડી રહ્યા છે. પ્રેક્ટિકલ અને થિયરી બંનેના અભ્યાસ માટે અલગ અલગ સ્થળે જવાનું હોવાથી લોકોને હાલાકી પડી રહી છે. જેથી વિદ્યાર્થીઓ પરેશાન થઇ ગયા છે.

ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત

કૉલેજ જર્જરિત હોવાને કારણે વિદ્યાર્થીઓને મોકલાય છે ગાંધીનગર

અમદાવાદની અખંડાનંદ કૉલેજ જર્જરિત છે. જેથી તમામ વિદ્યાર્થીઓને ગાંધીનગરની કોલાવડા આયુર્વેદ કૉલેજમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. કોલાવડા કૉલેજમાં દરરોજ આશરે 10થી 15 દર્દી સારવાર લેવા આવે છે, જેની સામે વિદ્યાર્થીઓની સંખ્યા 200ની આસપાસ છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ પ્રેક્ટિલ નોલેજ મેળવી શકતા નથી. વિદ્યાર્થીઓએ માગ કરી છે કે અખંડાનંદ કોલેજમાં દરરોજ આશરે 400થી વધુ દર્દીઓની ઓપીડી હોય છે તે હિસાબે જો સરકાર તેમના માટે અમદાવાદમાં જ થિયરી ક્લાસીસ શરૂ કરવા વ્યવસ્થા કરે તો તેમને દર્દીઓ તપાસવાનું પ્રેક્ટિકલ નોલેજ મળી શકે, જેથી તે સારા આયુર્વેદ ડૉક્ટર બની શકે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">