Ahmedabad : IBJA દ્વારા સિમ્પોઝિયમ 2021નું આયોજન, જવેલર્સને કાયદાની સમજ આપવાનો ઉદ્દેશ્ય
મહત્વનું છે કે બેનામી એકટ અને મની લોન્ડરિંગ એકટ અને હોલમાર્કના નિયમ અંગે પૂરતું જ્ઞાન નહિ હોવાથી ગુજરાતના 50 હજાર જવેલર્સ માંથી 1200 જવેલર્સને તેની અસર પડી. જેથી જવેલર્સમાં કાયદાનું જ્ઞાન હોવાની જરૂરિયાત ઉભી થઇ
1919ની સાલથી અસ્તિત્વ ધરાવતું ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ, ભારતમાં બુલિયન ટ્રેડ સામે આવતી સમસ્યાઓ અને પડકારો અંગે સતત કાર્ય કરતું રહ્યું છે. તાજેતરમાં આયોજિત IBJA સિમ્પોઝિયમ ૨૦૨૧ માં, HUID અને હોલમાર્કના નવા કાયદાના વિષય પર પેનલ ચર્ચાનું આયોજન કરાયું.
બેનામી એકટ અને મની લોન્ડરિંગ એકટની જવેલર્સ પર અસર, ગુજરાતમાં 50 હજાર જવેલર્સ માંથી 1200 જવેલર્સ પર અસર
ભારત ગોલ્ડ બુલિયન, ગોલ્ડ જ્વેલરી અને ગોલ્ડ અલંકારોનું વિશ્વનો સૌથી મોટું ગ્રાહક હોવાને કારણે આ કાયદાઓની અસર સમજવી જરૂરી હતી. જેથી આ સિમપોઝિયમ 2021નું આયોજન કરવામાં આવ્યું.સુરેન્દ્ર મહેતા અને કરણ શાહ, બે જાણીતા CA અને હોલમાર્ક તથા HUID વિષયના નિષ્ણાતો દ્વારા ઊંડાણપૂર્વકની ચર્ચાએ કાયદાઓની અસરને સમજાવીને સરળ બનાવી.
જીગર સોની, પ્રમુખ, નૈનેશ પંચીગર, ઉપપ્રમુખ અને મયુર આદેસરા, ઉપપ્રમુખ માને છે કે ” સિમ્પોઝિયમ ૨૦૨૧નું આયોજન વર્તમાન સમયની જરૂરિયાત હતી, કારણ કે સહભાગીઓ અને વેપારીઓના મનમાં અનેક ગેરસમજો પ્રવર્તે છે. પેનલ નિષ્ણાતોએ વિષયોને તમામ આયામોને સ્પર્શ્યા અને સફળતાપૂર્વક દરેકને સમાન ધારણા સુધી લાવ્યા. રાજ્યમાંથી આવતા ડિરેક્ટરો અને એડ્વાઇઝરી બોર્ડના સભ્યોએ પણ એસોસિએશનના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
ઇન્ડિયા બુલિયન જવેલર્સ એસોસિએશન દ્વારા કાર્યક્રમનું આયોજન, જવેલર્સને કાયદાની સમજ પુરી પાડવાનો એસોસિએશનનો પ્રયાસ
મહત્વનું છે કે બેનામી એકટ અને મની લોન્ડરિંગ એકટ અને હોલમાર્કના નિયમ અંગે પૂરતું જ્ઞાન નહિ હોવાથી ગુજરાતના 50 હજાર જવેલર્સ માંથી 1200 જવેલર્સને તેની અસર પડી. જેથી જવેલર્સમાં કાયદાનું જ્ઞાન હોવાની જરૂરિયાત ઉભી થઇ તેવું જવેલર્સ એસોસિએશનને જણાતા આજે ઇન્ડિયા બુલિયન જવેલર્સ એસોસિએશન દ્વારા કાર્યક્રમનું આયોજન કરી જવેલર્સનો સમજ પુરી પાડવામાં આવી. જે કાર્યક્રમમાં 100 કરતા વધુ જવેલર્સ જોડાયા.
તો કાર્યક્રમના આયોજકે કોરોના કાળ દરમિયાન જવેલર્સનો અસર પડી હતી તેમાંથી જવેલર્સ હાલમાં બહાર આવી રહ્યા હોવાનું જણાવી ને નાના ઉદ્યોગને ઇન્ડસ્ટ્રી ઉદ્યોગ બનાવવા તરફ લઈ જવાનું જણાવ્યું. સાથે જ કોરોના કાળમાં જે લોકોએ દાગીના ગીરવે રાખી દવા અને જરૂરિયાત પૂરી કરી તેવા લોકો પણ હાલમાં સોનામાં રોકાણ કરતા હોવાનું જણાવી જવેલર્સ ક્ષેત્ર પહેલાની જેમ પટરી પર આવતું હોવાનું પણ જણાવ્યું. આમ આ સિમપોઝિયમમાં વિવિધ મુદ્દે ચર્ચાઓ થઈ.