Ahmedabad : ત્રીજી લહેરની શકયતા સાથે પોલીસ વિભાગની તૈયારી, ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલનું થશે રીનોવેશન

શહેર પોલીસ વિભાગ તેમના કર્મચારીઓ માટે ચિંતામાં મુકાયું અને કર્મચારીઓને કોરોના કાળમાં વ્યવસ્થા મળી રહે તેવા પ્રયાસ હાથ ધર્યા. પ્રયાસના ભાગ રૂપે પોલીસ વિભાગ દ્વારા ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલનું રીનોવેશન કરાશે.

Ahmedabad : ત્રીજી લહેરની શકયતા સાથે પોલીસ વિભાગની તૈયારી, ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલનું થશે રીનોવેશન
Gujarat State Police Welfare Hospital
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 29, 2021 | 4:23 PM

શહેરમાં બીજી લહેરમાં સતત કોરોના કેસ (Corona Cases) ઘટી રહ્યા છે, પરંતુ ત્રીજી લહેરની શક્યતા નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે. જેના માટે અલગ અલગ વિભાગ સાથે સરકાર વ્યવસ્થાની કામગીરીમાં લાગ્યું છે. ત્યાં શહેર પોલીસ (Police) વિભાગ તેમના કર્મચારીઓ માટે ચિંતામાં મુકાયું અને કર્મચારીઓને કોરોના કાળમાં વ્યવસ્થા મળી રહે તેવા પ્રયાસ હાથ ધર્યા.

પ્રયાસના ભાગ રૂપે પોલીસ વિભાગ દ્વારા ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલનું રીનોવેશન કરાશે. જેને લઈને આજે પોલીસ કમિશનરે હોસ્પિટલ કમ્પાઉન્ડમાં રીનોવેશનને લઈને ખાતમુર્હત પણ કર્યું. જેમાં વિવિધ ઝોનના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા.

શાહીબાગ પોલીસ હેડ કવાટર્સ સામે ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલ આવેલી છે. જ્યાં અત્યાર સુધી પોલીસ કર્મચારીઓને OPD બેઝ પર સારવાર આપવામાં આવતી. પણ જે રીતે પહેલી અને બીજી લહેરમાં પોલીસ કર્મચારીઓ સંક્રમિત થયા તો કેટલાક મોતને ભેટ્યા. પોલીસ કર્મચારીઓને કોરોના થયા બાદ સારવાર મેળવવામાં હાલાકી પડતી હતી. આ તમામ બાબતોને ધ્યાને રાખીને વેલ્ફેર હોસ્પિટલના રીનોવેશનનો નિર્ણય પોલીસ વિભાગ દ્વારા કરાયો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

રીનોવેશન થતા જ્યાં OPD બેઝ સારવાર મળતી હતી, ત્યાં 20 ICU બેડ ઉભા કરાશે તો જનરલ વોર્ડ પણ ઉભો કરાશે. અંદાજે 50 જેટલા બેડ વેલ્ફેર હોસ્પિટલમાં ઉભા કરવામાં આવશે.

એટલું જ નહીં પણ જ્યાં બેડ હોય ત્યાં દવાની સુવિધાઓ પણ તે જ પ્રકારની હોવી જરૂરી છે જેને પણ ધ્યાને રાખી શહેર પોલીસ કમિશનરે જણાવ્યું કે ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલમાં ગુજરાતના પોલીસ કર્મચારીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જ્યાં બેડ સાથે જરૂરી દવા, ઇન્જેક્શન અને ખાસ ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે લોડિંગ લિફ્ટ પણ બનાવાશે.

રીનોવેશન અંદાજે 4 કરોડના ખર્ચે કરવામાં આવશે. કામ લગભગ એક મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. જેથી જે શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે તે સમય દરમિયાન કે તે પહેલા સુવિધા ઉભી કરી પોલીસ કર્મચારીઓને સારવાર આપી જીવ બચાવી શકાય.

મહત્વનું છે કે બીજી લહેરમાં એટલે કે 1.1.2021 પછી હાલ સુધી 900 પોલીસ કર્મચારી કોરોના સંક્રમિત બન્યા છે તેમજ 6 કર્મચારીનું મોત નીપજ્યું છે. પહેલી લહેરમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારી સંક્રમિત બન્યા હતા અને મોત પણ નિપજયા હતા. ત્યારે ત્રીજી લહેરમાં પોલીસ કર્મચારી સંક્રમિત ન થાય તેના પર વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે. જો કર્મચારી કોરોના સંક્રમિત બને તો કર્મચારીને ઝડપી સારવાર આપી તેનો જીવ બચાવી શકાય.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">