Ahmedabad : સોલા ઉમિયાધામનો શિલાન્યાસ વિધિ પૂર્ણ, મંદિરના નિર્માણકાર્યનો શુભારંભ, 150 કરોડનું દાન એકત્રિત થયું

પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે પટલાઈ આપણા લોહીમાં છે. પણ પટલાઈમાં આપણું પૂરું ન થઇ જાય તેનું ધ્યાન રાખજો. આપણે પાટીદાર નહિ સરદાર બનવું પડશે. સમાજના આગેવાનોને પરેશ ધાનાણીની ટકોર કરી હતી.

Ahmedabad : સોલા ઉમિયાધામનો શિલાન્યાસ વિધિ પૂર્ણ, મંદિરના નિર્માણકાર્યનો શુભારંભ, 150 કરોડનું દાન એકત્રિત થયું
ઉમિયાધામ-સોલા (ફાઇલ)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2021 | 4:53 PM

Ahmedabad :  સોલા ઉમિયાધામનો (Umiyadham )શિલાન્યાસ વિધિ પૂર્ણ થયો છે. સંતોની હાજરીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે શીલાપુજન કરવામાં આવ્યું હતું. આજથી મંદિરના નિર્માણ કાર્યનો શુભારંભ થયો છે. શિલાપુજન વિધિમાં મુખ્ય યજમાન તરીકે ભાજપના દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઇ જમના પટેલ (MLA Babubhai Jamna Patel) રહ્યા હતા. બાબુ જમના પટેલે ઉમિયાધામના નિર્માણ માટે 31 કરોડનું દાન આપ્યું છે.

સોલા ઉમિયાધામ (Umiyadham Temple )મંદિરના શિલાન્યાસ મહોત્સવમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી (Nitin Patel)નીતિન પટેલ, પૂર્વ વિપક્ષ નેતા (Paresh Patel)પરેશ ધાનાણી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ (Hrishikesh Patel) હાજર રહ્યા હતા. ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ દ્વારા સંબોધન કર્યું હતું. (PM Narendra Modi) નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ સેવાનું કાર્ય છે. આ સેવા યજ્ઞ આવનારી પેઢીઓ માટે ઉપયોગી થવાનો છે. આજે સ્કિલ ડેવલોમેન્ટનું મહત્વ છે. સ્કીલના મહત્વને વધારવાની જરૂર છે. આઝાદીના અમૃત મહોત્સવમાં સમાજ અને દેશને શું આપીશું એનો દ્રઢ સંકલ્પ કરીએ. સંકલ્પ કરીએ ઉત્તર ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી કરવી છે. પ્રાકૃતિક ખેતી કરીને ધરતી માતાને બચાવવી છે.

પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે પટલાઈ આપણા લોહીમાં છે. પણ પટલાઈમાં આપણું પૂરું ન થઇ જાય તેનું ધ્યાન રાખજો. આપણે પાટીદાર નહિ સરદાર બનવું પડશે. સમાજના આગેવાનોને પરેશ ધાનાણીની ટકોર કરી હતી. સમાજ થકી નેતા પેદા થાય નેતા થકી સમાજ નહિ. અમારું રાજકારણીઓનું સ્થાન મંચ પર નહિ સામે છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે ધર્મ અને વિકાસ તથા ધર્મ અને શિક્ષણને જોડીને સમાજ આગળ વધી રહ્યો છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

શિલાન્યાસ વિધિ પૂર્ણ થતાની સાથે જ મંદિર અને અન્ય ભાવનોના નિર્માણનું કામ શરૂ થઈ ગયું છે. 1500 કરોડનો પ્રોજેકટ બે ફેઝમાં પૂર્ણ થશે. સોલા ઉમિયાધામ નિર્માણની કામગીરી પાંચ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. આ માટે અત્યાર સુધીમાં 150 કરોડનું દાન એકત્ર થઈ ગયું છે.

આ ભવ્ય સોલા ઉમિયાધામ મંદિરની સાથે જ હોસ્ટેલ, આરોગ્ય ભવન, મલ્ટીપર્પઝ હોલનું પણ નિર્માણ કરાશે. 74 હજાર ચોરસ મીટરમાં જમીનમાં આકાર થઈ રહેલો સમગ્ર પ્રોજેક્ટ 1500 કરોડ રૂપિયામાં પૂર્ણ કરાશે. ઉમિયાધામમાં 800 લોકો એક સાથે દર્શન કરી શકે તેવી વ્યવસ્થા હશે. આ ઉપરાંત 1200 વિદ્યાર્થીઓ રહી શકે તેવી હોસ્ટેલનું નિર્માણ કરાશે. જેમાં એક ભોજનશાળા હશે. તો 50 રૂમનું એક ગેસ્ટ હાઉસ તૈયાર કરાશે. આ મંદિર પરિસરમાં એક હજાર કાર એકસાથે પાર્ક થાય તેવું પાર્કિંગ બનાવવામાં આવશે.

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">