Ahmedabad : નારણપુરામાં સસરાએ પુત્રવધુ પર દુષ્કર્મ ગુજાર્યું, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અમદાવાદમાં(Ahmedabad)સસરા અને પુત્રવધુનાં સંબંધોનો દાગ લગાડતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 74 વર્ષના વૃધ્ધે તમામ હદો તોડીને પોતાની પુત્રવધૂ પર દુષ્કર્મ(Rape)ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે
અમદાવાદમાં (Ahmedabad) સસરા અને પુત્રવધુનાં સંબંધોનો દાગ લગાડતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 74 વર્ષના વૃધ્ધે તમામ હદો તોડીને પોતાની પુત્રવધૂ પર દુષ્કર્મ(Rape)ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં માતા પિતાએ જન્મ સમયે જ જે દિકરીને તરછોડી તે યુવતીએ જે પરિવારને પોતાનો બનાવવા પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની વિગતો મુજબ અમદાવાદનાં નારણપુરા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતીને નાનપણમાં જ માતા પિતાએ તરછોડી દેતા તે મહેસાણામાં વિશ્વગ્રામ સંસ્થામાં 11 વર્ષ સુધી રહી અને વર્ષ 2012માં અમદાવાદ ખાતે આવેલ મહિપતરામ રૂપરામ આશ્રમ ખાતે આવી હતી. 2018માં આશ્રમ દ્વારા તેના પહેલા લગ્ન ઊંઝા ખાતે રહેતા યુવક સાથે કરાવ્યા હતા, જોકે ઘર કંકાસ અને યુવતીને શારીરિક બીમારીનાં લીધે 2019 માં તેના પહેલા પતિએ તેને છુટાછેડા આપતા વર્ષ 2020 માં મહિપતરામ આશ્રમ દ્વારા ફરિયાદીનાં બીજા લગ્ન નારણપુરા ખાતે રહેતા યુવક સાથે કોર્ટ મેરેજ કરાવવામાં આવ્યા હતા.
જયારે લગ્ન બાદથી જ સસરા દ્વારા તેના ઉપર ખરાબ દાનત રાખીને તે જ્યારે ઘરે એકલી હોય ત્યારે શારીરિક અડપલા કરવામાં આવતા હતા. જે બાબતની જાણ તેણે પતિને કરી પણ કરી હતી. પણ વર્ષ 2020 માં યુવતીને ગર્ભ રહેતા રહેતા સાસુ-સસરા દ્વારા સમૂહ લગ્નમાં સમાજના રીતરિવાજ મુજબ લગ્ન કરાવ્યા હતા..જે બાદ વર્ષ 2021માં એક દિવસ યુવતીનો પતિ તથા સાસુ નોકરી પર ગયા હતા, ત્યારે રસોડામાં કામ કરતા સમયે સસરાએ રસોડામાં પોતાની પાસે બેસવાનું કહેતા પુત્રવધૂ સસરા પાસે બેસતા સસરાએ તેની સાથે બીભત્સ વાતો કરતા ફરિયાદી પુત્રવધૂને ન ગમતા તે પોતાના બેડરૂમમાં જઈ સુઈ રહી હતી.
તે સમયે સસરાએ તેના બેડરૂમમાં જઈ તેને ઇમોશનલ કરી તેને શારીરિક અડપલા કરવાના શરૂ કર્યા હતા. યુવતીએ સ્વબચાવ કરવા માટે સસરાને એક લાફો માર્યો હતો. જોકે હેવાન સસરાએ તેનું મો દબાવી “તું મને શરીર સંબંધ નહીં બાંધવા દે, તો તને કાયમ માટે આશ્રમમાં મૂકી આવીશું” તેવી ધમકી આપી જબરદસ્તી મરજી વિરુદ્ધ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
ઘટના બાદ પુત્રવધુનાં સાસુ નોકરી પરથી આવતા તેણે આ મામલે સાસુને જાણ કરતા તેઓએ પણ તેની સાથે મારઝુડ કરી આ બાબતની કોઈને જાણ કરીશ તો તને આશ્રમમાં મૂકી આવીશું, તે પ્રકારની ધમકી આપી હતી..જે બાદ તેણે આ ધટનાની જાણ પતિને કરતા તેણે પણ વિશ્વાસ કર્યો ન હતો.
થોડા સમય બાદ યુવતીએ દિયર-દેરાણીને આ બાબતે જાણ કરતા તેઓએ પણ વિશ્વાસ ન કરી પરિણીતાને ધમકીઓ આપી હતી અંતે કંટાળીને તેણે નારણપુરા પોલીસ સ્ટેશનમાં સસરા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.