Ahmedabad : ગાય પર દયા ન કરે, તેના પર સરકાર ક્યારેય દયા નહીં કરે : પ્રદીપસિંહ જાડેજા
વિજય રૂપાણી સરકારની 5 વર્ષની ઉજવણીને લઈને અમદાવાદમાં કાર્યક્રમ યોજાયો. જ્યા નિવેદન કરતા ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, જે લોકો ગાયની દયા નહીં ખાય, તેમના પર સરકાર ક્યારેય પણ દયા નહીં કરે.
Ahmedabad : વિજય રૂપાણી સરકારની 5 વર્ષની ઉજવણીને લઈને અમદાવાદમાં કાર્યક્રમ યોજાયો. જ્યા નિવેદન કરતા ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, જે લોકો ગાયની દયા નહીં ખાય, તેમના પર સરકાર ક્યારેય પણ દયા નહીં કરે. પ્રદીપસિંહે વધુમાં કહ્યું કે, સંસ્કૃતિની રક્ષાને ધ્યાને રાખીને ગૌહત્યા અને લવજેહાદ વિરોધી કાયદા બનાવ્યા. જેમા હવે ગાય પર દયા ન રાખતા લોકો સામે સરકાર પણ દયા નથી રાખતી તેમ જણાવ્યું હતું. રાજય સહિત દેશભરમાં જયારે ગૌહત્યાના બનાવો વધી રહ્યાં છે ત્યારે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાનું આ નિવેદન ઘણું સુચક માનવામાં આવી રહ્યું છે.
Latest Videos
Latest News