Ahmedabad: બાળ તસ્કરી કરતાં દંપતીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ, દંપતી પાસેથી મળી આવેલા નવજાતના માતા પિતાની શોધ શરૂ

આ દંપતિ છેલ્લા કેટલાક વર્ષથી બાળ તસ્કરી જેવા ગંભીર ગુના સાથે સંકળાયેલ હોવાથી આ સિવાય પણ અન્ય કોણ બાળકોની તસ્કરી કરીને ક્યાંય કોઈને વેચ્યા છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપી બિપીન ઉર્ફે બંટી અગાઉ ડિસેમ્બર 2020માં મહારાષ્ટ્ર, મલાડ, માલવની પોલીસ સ્ટેશનમાં બાળ તસ્કરીના ગુનામાં પકડાયેલ હતાં.

Ahmedabad: બાળ તસ્કરી કરતાં દંપતીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ, દંપતી પાસેથી મળી આવેલા નવજાતના માતા પિતાની શોધ શરૂ
Crime Branch arrests couple for child trafficking
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jan 09, 2023 | 9:57 PM

અમદાવાદમાંથી માનવ તસ્કરી કરતા દંપતીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોનિકા અને બિપિનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ 1 માસનું બાળક ઈડરથી લઈને હૈદરાબાદ વેચવાના હતા. હૈદરાબાદની ઉમા નામની એજન્ટને બાળક પહોંચાડવાનું હતું. 2.10 લાખમાં બાળક વેચાય તે પહેલા એજન્ટો ઝડપાયા છે. જ્યારે ઈડરથી બાળક આપનાર રેસ્મા રાઠોડ નામનો યુવક હજુ ફરાર છે. કાલુપુરમાં ચોરાયેલા બાળકની તપાસમાં વધુ એક માનવ તસ્કરીનો ખુલાસો થયો છે. આ મામલે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ફરિયાદ નોંધાવી છે. આ મામલે ઈન્ટ્રોગેટીવ યુનિટ ચાઈલ્ડ એન્ડ વિમેન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

છેલ્લા બે વર્ષથી સક્રિય હતું દંપતી

મૂળ થાણેના બિપીન ઉર્ફે બંટી શિરસાહ અને મોનિકા શિરસાહની બાળ તસ્કરીના ગુનામાં એસ. પી. રીંગ રોડ રણાસણ રેલ્વે ક્રોસિંગ પાસેથી ધરપકડ કરવામાં આવી છે. દંપતી આરોપી પાસેથી પોલીસને પંદર દિવસનું બાળક પણ મળી આવ્યું છે. જે નવજાત બાળકના માતા પિતા કોણ છે તે અંગે જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે ચોંકાવનારા ખુલાસા થયા હતાં, જેમાં પકડાયેલ દંપતી કાલુપુર રેલવે સ્ટેશન પાસે બાળક તસ્કરીમાં એજન્ટ તરીકે વોન્ટેડ હતા.

છોકરી માટે ચોકલેટ અને છોકરા માટે લોલીપોપ જેવા કોડવર્ડનો ઉપયોગ

પકડાયેલ દંપતિ આ બાળક હિંમતનગર પાસેથી રેશ્માભાઈ રાઠોડ નામની વ્યક્તિ મારફતે રૂપિયા 2 લાખ 10 હજારમાં લાવ્યા હતા. જે નવજાત બાળક હૈદરાબાદ ખાતે ઉમા બોમ્માડા નામની એજન્ટને વેચવા માટે જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ નવજાત બાળક હકીકતમાં કોનું છે, રેશ્માભાઈ પાસે આ બાળક કેવી રીતે પહોચ્યું તે અંગે તપાસ શરૂ કરીને મૂળ માતા પિતા સુધી પહોંચવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે. પોલીસ તપાસમાં આ સિવાય પણ અન્ય ચોંકાવનારા ખુલાસા થયા છે. બાળ તસ્કરીનું નેટવર્ક આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે એજન્ટો છોકરી માટે ચોકલેટ અને છોકરા માટે લોલીપોપ જેવા કોડવર્ડનો પણ ઉપયોગ કરતાં હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ દંપતિ છેલ્લા કેટલાક વર્ષથી બાળ તસ્કરી જેવા ગંભીર ગુના સાથે સંકળાયેલ હોવાથી આ સિવાય પણ અન્ય કોણ બાળકોની તસ્કરી કરીને ક્યાંય કોઈને વેચ્યા છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપી બિપીન ઉર્ફે બંટી અગાઉ ડિસેમ્બર 2020માં મહારાષ્ટ્ર, મલાડ, માલવની પોલીસ સ્ટેશનમાં બાળ તસ્કરીના ગુનામાં પકડાયેલ હતા.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">