Ahmedabad: રખડતા ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં કોંગ્રેસ માલધારી સેલ રાજ્યભરમાં આંદોલન કરશે, વિરોધ કરવાની રણનીતિ ઘડાઇ
કોંગ્રેસ (Congress) માલધારી સેલની પ્રદેશ કાર્યાલયે ઢોર નિયંત્રણ કાયદાના (Cattle Control Act) વિરોધને લઈને બેઠક મળી હતી. જેમાં કાયદાને પરત ખેંચવાની માગ સાથે સરકાર પર દબાણ વધારવા વિરોધ કરવાની રણનીતિ બનાવવામાં આવી છે. કાયદો પરત નહીં ખેંચે તો ગાયો સાથે વિધાનસભા તરફ કૂચ કરવાની ચીમકી આપી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ ગુજરાત (Gujarat) માં વિરોધના સૂર પણ વધી રહ્યા છે. પાણી અને વીજળીના મુદ્દે ખેડૂતોનો વિરોધ, જુની પેન્શન યોજના લાગુ કરવા સાથે શિક્ષકોનો વિરોધ અને હવે રખડતા ઢોર નિયંત્રણના કાયદાને (Cattle Control Act) લઇને માલધારી સમાજનો વિરોધનો સૂર ઊભો થયો છે. આ કાયદો પરત નહીં લેવામાં આવે તો કોંગ્રેસ માલધારી સેલ રાજ્યભરમાં આંદોલન કરશે. કોંગ્રેસ માલધારી સેલની પ્રદેશ કાર્યાલયે એટલે કે અમદાવાદમાં બેઠક મળી હતી. જેમા વિરોધ કરવાની રણનીતિ ઘડવામાં આવી હતી.
વિધાનસભા તરફ કૂચ કરવાની ચીમકી આપી
કોંગ્રેસ માલધારી સેલની પ્રદેશ કાર્યાલયે ઢોર નિયંત્રણ કાયદાના વિરોધને લઈને બેઠક મળી હતી. જેમાં કાયદાને પરત ખેંચવાની માગ સાથે સરકાર પર દબાણ વધારવા વિરોધ કરવાની રણનીતિ બનાવવામાં આવી છે. કાયદો પરત નહીં ખેંચે તો ગાયો સાથે વિધાનસભા તરફ કૂચ કરવાની ચીમકી આપી છે. માલધારી આગેવાનોએ જણાવ્યું કે સરકાર દ્વારા રખડતા ઢોર માટે જે કાયદા લાવવામાં આવી રહ્યો છે એ કાળો કાયદો છે.
2022 વિધાનસભાની ચૂંટણી હોવાથી સરકાર અને ભાજપ લોકોને ગેરમાર્ગે દોરી રહી હોવાનો માલધારીઓએ આક્ષેપ કર્યો છે. સરકાર પોતાનું વલણ મક્કમ રાખશે તો ગાંધીનગરમાં પણ માલધારી સમાજ મોટી સંખ્યામાં એકત્ર થઇને કાયદાનો વિરોધ કરશે. માલધારી સમાજના ધર્મગુરુઓને આગેવાનો સાથે ચર્ચા કર્યા સિવાય જો વિધાયક લવાશે તો 2022 વિધાનસભાની ચૂંટણીમાં એના પરિણામ જોવા મળશે. રાજ્ય સરકાર ઉદ્યોગપતિઓ માટે જ કામ કરતી હોવાનો માલધારી સમાજના લોકોનો આક્ષેપ છે.
મહત્વનું છે કે ગઇકાલે માલધારી સમાજ ભાજપ સરકારથી ભારોભાર નારાજ છે. ઢોર નિયંત્રણ કાયદો રદ કરવાની માગ સાથે આજે ગાંધીનગરમાં માલધારીઓ સત્યાગ્રહ છાવણીએ એકત્ર થયા હતાં અને વિરોધ નોંધાવ્યો હતો. વિધાનસભા ગૃહમાં રખડતા ઢોર નિયંત્રણ કાયદો પસાર કરાયો છે ત્યારે માલધારી સમાજમાં આક્રોશ ભભૂક્યો છે. માલધારી સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો-ઉનાળાની શરુઆતમાં જ અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, ગરમીને કારણે થતી બીમારીઓ પણ વધી
આ પણ વાંચો-Surat: સોનાની દાણચોરીનો પર્દાફાશ, શારજાહથી આવેલા દંપતિના શરીરમાંથી મળ્યું 1 કરોડનું સોનું