Ahmedabad: રખડતા ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં કોંગ્રેસ માલધારી સેલ રાજ્યભરમાં આંદોલન કરશે, વિરોધ કરવાની રણનીતિ ઘડાઇ

કોંગ્રેસ (Congress) માલધારી સેલની પ્રદેશ કાર્યાલયે ઢોર નિયંત્રણ કાયદાના (Cattle Control Act) વિરોધને લઈને બેઠક મળી હતી. જેમાં કાયદાને પરત ખેંચવાની માગ સાથે સરકાર પર દબાણ વધારવા વિરોધ કરવાની રણનીતિ બનાવવામાં આવી છે. કાયદો પરત નહીં ખેંચે તો ગાયો સાથે વિધાનસભા તરફ કૂચ કરવાની ચીમકી આપી છે.

Ahmedabad: રખડતા ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં કોંગ્રેસ માલધારી સેલ રાજ્યભરમાં આંદોલન કરશે, વિરોધ કરવાની રણનીતિ ઘડાઇ
Stray Cattle (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 7:32 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ ગુજરાત (Gujarat) માં વિરોધના સૂર પણ વધી રહ્યા છે. પાણી અને વીજળીના મુદ્દે ખેડૂતોનો વિરોધ, જુની પેન્શન યોજના લાગુ કરવા સાથે શિક્ષકોનો વિરોધ અને હવે રખડતા ઢોર નિયંત્રણના કાયદાને (Cattle Control Act) લઇને માલધારી સમાજનો વિરોધનો સૂર ઊભો થયો છે. આ કાયદો પરત નહીં લેવામાં આવે તો કોંગ્રેસ માલધારી સેલ રાજ્યભરમાં આંદોલન કરશે. કોંગ્રેસ માલધારી સેલની પ્રદેશ કાર્યાલયે એટલે કે અમદાવાદમાં બેઠક મળી હતી. જેમા વિરોધ કરવાની રણનીતિ ઘડવામાં આવી હતી.

વિધાનસભા તરફ કૂચ કરવાની ચીમકી આપી

કોંગ્રેસ માલધારી સેલની પ્રદેશ કાર્યાલયે ઢોર નિયંત્રણ કાયદાના વિરોધને લઈને બેઠક મળી હતી. જેમાં કાયદાને પરત ખેંચવાની માગ સાથે સરકાર પર દબાણ વધારવા વિરોધ કરવાની રણનીતિ બનાવવામાં આવી છે. કાયદો પરત નહીં ખેંચે તો ગાયો સાથે વિધાનસભા તરફ કૂચ કરવાની ચીમકી આપી છે. માલધારી આગેવાનોએ જણાવ્યું કે સરકાર દ્વારા રખડતા ઢોર માટે જે કાયદા લાવવામાં આવી રહ્યો છે એ કાળો કાયદો છે.

2022 વિધાનસભાની ચૂંટણી હોવાથી સરકાર અને ભાજપ લોકોને ગેરમાર્ગે દોરી રહી હોવાનો માલધારીઓએ આક્ષેપ કર્યો છે. સરકાર પોતાનું વલણ મક્કમ રાખશે તો ગાંધીનગરમાં પણ માલધારી સમાજ મોટી સંખ્યામાં એકત્ર થઇને કાયદાનો વિરોધ કરશે. માલધારી સમાજના ધર્મગુરુઓને આગેવાનો સાથે ચર્ચા કર્યા સિવાય જો વિધાયક લવાશે તો 2022 વિધાનસભાની ચૂંટણીમાં એના પરિણામ જોવા મળશે. રાજ્ય સરકાર ઉદ્યોગપતિઓ માટે જ કામ કરતી હોવાનો માલધારી સમાજના લોકોનો આક્ષેપ છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

મહત્વનું છે કે ગઇકાલે માલધારી સમાજ ભાજપ સરકારથી ભારોભાર નારાજ છે. ઢોર નિયંત્રણ કાયદો રદ કરવાની માગ સાથે આજે ગાંધીનગરમાં માલધારીઓ સત્યાગ્રહ છાવણીએ એકત્ર થયા હતાં અને વિરોધ નોંધાવ્યો હતો. વિધાનસભા ગૃહમાં રખડતા ઢોર નિયંત્રણ કાયદો પસાર કરાયો છે ત્યારે માલધારી સમાજમાં આક્રોશ ભભૂક્યો છે. માલધારી સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો-ઉનાળાની શરુઆતમાં જ અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, ગરમીને કારણે થતી બીમારીઓ પણ વધી

આ પણ વાંચો-Surat: સોનાની દાણચોરીનો પર્દાફાશ, શારજાહથી આવેલા દંપતિના શરીરમાંથી મળ્યું 1 કરોડનું સોનું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">