AHMEDABAD : શહેર પોલીસ કમિશનરે 8 PSI ની આંતરિક બદલીઓ કરી, મનપસંદ જીમખાના જુગારધામ રેડ મામલે બદલીની ચર્ચા
એક દિવસ પહેલા જ મનપસંદ જીમખાના જુગારધામ રેડ મામલે દરિયાપુર પોલીસ સ્ટેશનના PI, PSI અને ડી-સ્ટાફને ડીજીપીએ સસ્પેન્ડ કર્યા છે. જેમાં PI આર.આઈ. જાડેજા, ડી-સ્ટાફ PSI કે. સી. પટેલ અને ડી-સ્ટાફના 14 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
AHMEDABAD : અમદાવાદ શહેર પોલીસ કમિશનરે 8 PSI ની આંતરિક બદલીઓ કરી છે. આ અગાઉ PSI એ.ડી. ચાવડાની બદલી રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી. અન્ય પોલીસ અધિકારીઓની બદલી પર ટૂંક સમયમાં થઇ શકે છે. આ બદલીઓ દરિયાપુર જુગારધામ રેડ મામલે કરી હોવાની ચર્ચા થઇ રહી છે. એક દિવસ પહેલા જ મનપસંદ જીમખાના જુગારધામ રેડ મામલે દરિયાપુર પોલીસ સ્ટેશનના PI, PSI અને ડી-સ્ટાફને ડીજીપીએ સસ્પેન્ડ કર્યા છે. જેમાં PI આર.આઈ. જાડેજા, ડી-સ્ટાફ PSI કે. સી. પટેલ અને ડી-સ્ટાફના 14 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અમદાવાદ(Ahmedabad) માં મનપસંદ જીમખાના રેડ કેસમાં પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં દરિયાપુર(Dariapur) પોલીસ સ્ટેશનના PI, PSI અને ડી-સ્ટાફને ડીજીપીએ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. જેમાં PI આર.આઈ. જાડેજા, ડી-સ્ટાફ PSI કે. સી. પટેલ અને ડી-સ્ટાફના 14 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા હતા. આ કેસની વિગત મુજબ તાજેતરમાં મનપસંદ જીમખાનામા રેડ પડતા 180થી વધારે જુગારીઓ ઝડપાયા હતા. તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી 11 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.