Ahmedabad: કેરળવાસીઓ માટે દિવાળી સમાન ઓણમ પર્વની કરાઈ ઉજવણી, નારાયના કોલેજમાં 13 વોર્ડના વિસ્તારની મહિલાઓએ વિવિધ ફુલોથી બનાવી નયનરમ્ય રંગોળી

Ahmedabad: શહેરમાં વસતા કેરળવાસીઓએ તેમના સૌથી મોટા તહેવાર ઓણમ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી. સાત દિવસ સુધી ચાલનારા આ પર્વની કેરળવાસીઓ દિવાળીની જેમ ઉજવણી કરે છે.

Ahmedabad: કેરળવાસીઓ માટે દિવાળી સમાન ઓણમ પર્વની કરાઈ ઉજવણી, નારાયના કોલેજમાં 13 વોર્ડના વિસ્તારની મહિલાઓએ વિવિધ ફુલોથી બનાવી નયનરમ્ય રંગોળી
ઓણમની ઉજવણી
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Sep 04, 2022 | 3:51 PM

હિંદુ ધર્મમાં જેમ દિવાળી પર્વ ઉજવાય છે તે જ રીતે કેરળમાં ઓણમ પર્વની ઉજવણી કરવામાં આવે છે. અમદાવાદ (Ahmedabad)માં રહેતા મલયાલમ લોકોએ સેટેલાઈટમાં આવેલા નારાયના કેમ્પસ ખાતે સમાજના લોકોએ ભેગા મળી ઓણમ પર્વની ઉજવણી કરી. જેમાં હાઈકોર્ટના જજ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઓણમ પર્વની આજથી એટલે કે 4 સપ્ટેમ્બરથી શરૂઆત થઈ છે. કેરળ(Kerala)માં સાત દિવસ સુધી આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. જ્યાં કેરળવાસીઓ એક્ઠા થઈ ઓણમ પર્વની (Onam) ઉજવણી કરે છે. સાઉથ ઈન્ડિયન લોકો રંગોળીને ખાસ મહત્વ આપે છે. ત્યા સામાન્ય દિવસોમાં પણ રોજ રંગોળી કરવામાં આવે છે. ત્યારે તહેવારો દરમિયાન પણ અહીં ખાસ રંગોળીઓ કરવામાં આવે છે. સાઉથ ઈન્ડિયન  લોકો ઓણમ પર્વની દિવાળી પર્વની જેમ જ ઉજવણી કરે છે. જેમા નવા કપડા પહેરવા, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા, વિવિધ સ્વાદિષ્ઠ વાનગીઓ બનાવવી, અવનવી રંગોળીઓ બનાવી તહેવારની ઉજવણી કરે છે.

13 વોર્ડના વિસ્તારની મહિલાઓએ બનાવી ફુલોની રંગોળી

અમદાવાદમાં સેટેલાઈટમાં નારાયના કોલેજમાં ઓણમ પર્વની ઉજવણી કરવામાં આવી. જેમા કેરળ સમાજના લોકોએ એક્ઠા થઈ ઓણમ પર્વની ઉજવણી કરી. જેમા જૂદા જૂદા 13 વોર્ડમાં રહેતી સાઉથ ઈન્ડિયન મહિલાઓ દ્વારા  વિવિધ ફુલોમાંથી રંગોળી બનાવી ઉજવણી કરી. આ ઉજવણીમાં ત્રણ સારી રંગોળીને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તેમજ ધોરણ 10 અને ધોરણ 12માં 70% ઉપર માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

આજથી શરૂ થતા ઓણમ પર્વની એક મહિના સુધી થતી અવનવી રીતે ઉજવણી કરવામાં આવે છે. જેમા 7 દિવસની રજા અપાતી હોવાથી કેરલમાં તો દિવાળી જેવો માહોલ જોવા મળે છે. ઉજવણીમાં ભાગ લેનાર મહિલાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો. આ ઉજવણીમાં કેરળના ખાસ શાકાહારી ભોજનની મજા માણવા માટે કેરળથી ખાસ રસોઈયા પણ બોલાવવામાં આવ્યા.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

એક દંતકથા મુજબ કેરલમાં મહારાજા બલિને વર્ષમાં એક જ વાર તેમના ઘરે જવા માટે આશિર્વાદ અપાયા હતા. જે મહારાજ કેરલમાં જતા એક ઉત્સવ તરીકે તેમનું સ્વાગત કરવામાં આવ્યુ. બીજી દંતકથા પ્રમાણે કેરળવાસીઓ પુરા વર્ષ દરમિયાન ખેતીવાડી અને અન્ય કામમાં જોતરાયેલા હોય છે. જેઓને કામમાંથી હળવાશ મળે અને પરિવાર તથા સમાજ સાથે સમય વિતાવી શકે તે માટે ઓણમ પર્વ મનાવાય છે. અહીં ઓણમ પર્વની ઉજવણી કરતા કેરળની સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">