Ahmedabad : એએમસીએ બાકી પ્રોપર્ટી ટેક્ષવાળી મિલકતોને સીલ કરવા SOP બનાવી

મિલકત ધારકે માર્ચ સુધીમાં નાણાં ચૂકવી દેવા પડશે.આ અંગે મિલકતોની સિલિંગની કાર્યવાહીનું ઝોન અધિકારીને રિપોર્ટ થશે.જો ગેરરીતિ સામે આવશે તો અઘિકારી સામે કાર્યવાહી થશે.બાકી વેરા અંગે ચેક આપવામાં આવ્યો હશે અને તે રિટર્ન થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Ahmedabad : એએમસીએ બાકી પ્રોપર્ટી ટેક્ષવાળી મિલકતોને સીલ કરવા SOP બનાવી
Ahmedabad: AMC created SOP to seal property with outstanding property tax (ફાઇલ)
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Feb 14, 2022 | 9:24 PM

Ahmedabad : એએમસી (AMC)દ્વારા બાકી મિલકત વેરો (Property tax)ઉઘરાવવા અને બાકીદારો સામે કાર્યવાહી કરવા નવી SOP બનાવી છે. 1 લાખ થી વધુ ની બાકી રકમ પર કાર્યવાહી માટે એસઓપી બનાવમાં આવી છે.એસ ઓ પી માં વ્યાજ માફી અથવા બાકી બિલની રકમના બે હપ્તા કરવાનું એક જ ઓપશન મળશે.બાકી વેરા અંગે મિલકત ધારક પુરે પુરી રકમ ભરે તો જ વ્યાજ માફી મળશે.. બે હપ્તા કરશે તો વ્યાજ માફ નહિ થાય.

મિલકત ધારકે માર્ચ સુધીમાં નાણાં ચૂકવી દેવા પડશે.આ અંગે મિલકતોની સિલિંગની કાર્યવાહીનું ઝોન અધિકારીને રિપોર્ટ થશે.જો ગેરરીતિ સામે આવશે તો અઘિકારી સામે કાર્યવાહી થશે.બાકી વેરા અંગે ચેક આપવામાં આવ્યો હશે અને તે રિટર્ન થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

હાલ તો કૉર્પોરેશન ફક્ત કોમર્શિયલ એકમને સિલ કરે છે. પણ આગામી દિવસોમાં રહેણાક એકમો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. રહેણાંક મકાનોમા 5 હજારથી વધુ ટેક્ષ બાકી હશે તેવા મિલકત ધારકોને નોટિસ આપવામાં આવશે.અત્યાર સુધી કોર્પોરેશન દ્વારા બાકી મિલકતવેરા અંગે સીલીંગ નોટિસની કાર્યવાહી કરવામાં આવતી હતી પરંતુ તે એટલી અસરકારક ન હોવાથી તંત્ર દ્વારા SOPની જાહેરાત કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

કેટલાક લોકો મિલીભગત કરી સીલ ખોલી દેતા હોવાની પણ ચર્ચા ઉઠી છે. ત્યારે રેવન્યુ કમિટીમાં આ એસઓપી લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે આગામી દિવસોમાં ટેકસને લઈને સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આવશે. જે અંતર્ગત ટેકસની કોઈપણ ફરીયાદ હશે તો તેનો નિકાલ કરવામાં આવશે.

બાકી મિલકતવેરા અંતર્ગત કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર નજર કરીએ તો 1થી 11 ફેબ્રુઆરી દરમિયાન 2751 એકમને સીલ મારવામાં આવ્યા છે. મધ્ય ઝોનમાં 590, ઉત્તર ઝોનમાં 579, દક્ષિણ ઝોનમાં 290, પૂર્વ ઝોનમાં 435, પશ્ચિમ ઝોનમાં 336, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 241, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 280 એકમો સિલ કર્યા છે.

1 એપ્રિલ 2021થી આજદિન સુધી થયેલી આવક પર નજર કરીએ તો, મિલકતવેરાની 893.98 કરોડ, પ્રોફેશનલ ટેકસની 166.74 કરોડ, વિહિકલ ટેકસની 112.03 કરોડની એએમસીને આવક થઈ છે.

આ પણ વાંચો : માલધારી પછી મહારાષ્ટ્રમાં કાયદાની જાળમાં ફસાયેલા કચ્છના ઊંટો પણ હવે મુકત થયા

આ પણ વાંચો : ખેડૂતોએ ફેબ્રુઆરી માસમાં શેરડી અને કઠોળ વર્ગના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">