Ahmedabad: વસ્ત્રાલમાં ગરબાના સ્ટેપ ભૂલી જતા યુવકને 4 લોકોએ મળીને માર્યો માર, યુવકે નોંધાવી ફરિયાદ

Ahmedabad: વસ્ત્રાલમાં શિવમ એપાર્ટમેન્ટમાં રહેતા રાહુલ બારોટ નામના યુવકે તેની જ સોસાયટીમાં રહેતા મિહિર સહિત 4 લોકો સામે માર મારવાની ફરિયાદ નોંધાવી છે. રાહુલનો આરોપ છે મિહિર અને તેના મિત્રોએ ગરબા રમતી વખતે સ્ટેપ ભૂલી જતા તેને પાઈપ વડે માર માર્યો અને અપશબ્દો કહ્યા હતા.

Ahmedabad: વસ્ત્રાલમાં ગરબાના સ્ટેપ ભૂલી જતા યુવકને 4 લોકોએ મળીને માર્યો માર, યુવકે નોંધાવી ફરિયાદ
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2022 | 4:16 PM

અમદાવાદ (Ahmedabad) માં વસ્ત્રાલ (Vastral)માં એક યુવકે ગરબાના ખોટા સ્ટેપ કરતા તેને માર મારવા (Assaulted)માં આવ્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વસ્ત્રાલમાં રહેતા 25 વર્ષિય રાહુલ બારોટે રામોલ પોલીસ સ્ટેશનમાં તેની પડોશમાં રહેતા 4 લોકો સામે માર મારવા અને અપશબ્દો બોલવાની ફરિયાદ નોંધાવી છે. ગરબા રમતી વખતે યુવક ગરબા (Garba)ના સ્ટેપ્સ ભૂલી જતા તેની પડોશમાં રહેતા 4 લોકોએ માર માર્યો હતો. ફરિયાદી રાહુલ બારોટ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા શિવમ એપાર્ટમેન્ટમાં રહે છે અને તેની સાથે થયેલી મારામારી બાબતે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ગરબાના સ્ટેપ્સ ન આવડતા માર મારવાની ફરિયાદ

રાહુલે જણાવ્યુ કે તે તેની સોસાયટીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. રાહુલ ત્યાં ગરબા રમી રહ્યો હતો, ત્યારે તેની જ પડોશમાં રહેતો મિહિર નામનો વ્યક્તિ તેની પાસે આવી તેને કહેવા લાગ્યો હતો કે તે બરાબર નથી રમી રહ્યો. ત્યારે રાહુલ બારોટે જણાવ્યુ કે તેને બરાબર રમતા ફાવતુ નથી. આ સાંભળી મિહિરે તેને કહ્યું કે તને રમતા નથી આવડતુ તો તે અહીં શું કરી રહ્યો છે. આવુ કહી મિહિરે તેને અપશબ્દો કહ્યા હતા અને રમતા ન આવડતુ ન હોય તો રમવુ જ ન જોઈએ. તેવુ સંભળાવ્યુ હતુ. રાહુલનો આરોપ છે કે મિહિર તેની સાથે ગરબા રમવા બાબતે પહેલા બોલાચાલી કરી હતી અને બાદમાં હાથ ચાલાકી કરવા લાગ્યો હતો. ધીમે ધીમે આ બોલાચાલી મારામારીમાં પરિણમી હતી.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

મિહિરે તેના 3 મિત્રોને બોલાવી પાઈપ વડે માર્યો માર

ગરબા રમવા બાબતે થયેલી બોલાચાલીએ મારામારીનું સ્વરૂપ લીધુ હતુ અને મિહિરે તેને માર માર્યો હતો. મિહિરે તેના ત્રણ મિત્રોને પણ બોલાવ્યા હતા અને ચારેયે મળીને રાહુલને માર માર્યો હોવાની રાહુલ બારોટે ફરિયાદ નોંધાવી છે. રાહુલનો આરોપ છે કે સૌપ્રથમ મિહિરે તેના પેટના ભાગે ફેંટ મારી હતી અને પાઈપ વડે માર માર્યો હતો. ત્યારબાદ સોસાયટીના કોઈ રહિશે તેને બચાવ્યો હતો. ત્યારબાદ રાહુલે મિહિર સહિત 4 લોકો સામે માર મારવાની ફરિયાદ નોંધાવી છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">