Ahmedabad: સતત તાણમાં રહેતા પોલીસકર્મીઓ માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ અને ડાયટ પ્લાન, કર્મચારીઓ માટે યોજાયો સેમીનાર

Ahmedabad : મનોચિકિત્સક ડો.માનસિંગ ડોડીયા દ્વારા ઝોન 5 અંતર્ગત આવતા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને તણાવ દૂર કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Ahmedabad: સતત તાણમાં રહેતા પોલીસકર્મીઓ માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ અને ડાયટ પ્લાન, કર્મચારીઓ માટે યોજાયો સેમીનાર
Follow Us:
Pratik jadav
| Edited By: | Updated on: Jun 26, 2021 | 4:20 PM

Ahmedabad: કોરોનાકાળમાં સતત વ્યસ્તતા અને ઓવરટાઈમ કરવાને કારણે અમદાવાદ શહેર પોલીસના (ahmedabad police) અનેક પોલીસકર્મીઓ માનસિક તણાવ અનુભવતા હોય છે. પોલીસકર્મીઓમાંથી માનસિક તણાવ દૂર કરવા તેમજ શારીરિક ફિટ રહે તે માટે અમદાવાદ શહેર ઝોન 5 DCP અચલ ત્યાગી દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ અને ડાયેટ પ્લાનિંગનો એક ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં ઝોન 5 વિસ્તારમાં આવતા પોલીસકર્મીઓને માનસિક તણાવ કેવી રીતે દૂર કરવો તેની માહિતી આપવામાં આવી હતી.

સ્ટ્રેસ મેનેજમેન્ટ એન્ડ ડાયેટ પ્લાનિંગ સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સક ડો.માનસિંગ ડોડીયા દ્વારા ઝોન 5 અંતર્ગત આવતા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને તણાવ દૂર કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડો.માનસિંગ ડોડીયાનું માનવું છે કે સમાજમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ અટકે તેની કામગીરી પોલીસકર્મીઓને સોંપવામાં આવી છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

જેને નિભાવવા માટે ગુજરાત પોલીસના તમામ પોલીસકર્મીઓ દિવસ રાત કામગીરી કરતા હોય છે. જેમાં ઓવરટાઈમ, ઘર્ષણના બનાવો, આરોપીઓ સાથે સમય વિતાવવાના તેમજ ઉપરી અધિકારીના પ્રેસરના કારણે અનેક પોલીસકર્મીઓ માનસિક તણાવનો ભોગ બનતા હોય છે. જેને કારણે આવા પોલીસકર્મીઓનો સ્વભાવ ચીડિયો થઈ જતો હોય છે.

પોલીસકર્મીઓને સ્ટ્રેસ ઘટાડવા માટે દિવસ દરમ્યાન 8 કલાકની ઉંઘ લેવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે જ દરરોજ પ્રોટીનયુક્ત ખોરાક લેવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે જ 45થી વધુ ઉંમરના ફિટ પોલીસકર્મીઓને તેમજ શ્રેષ્ટ કામગીરી કરનાર મહિલા પોલીસકર્મીઓને ઝોન 5 DCP અચલ ત્યાગી દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જેથી પોલીસકર્મીઓમાં વધુ સારું કામ કરવાની પ્રેરણા મળતી રહે.

આ પ્રસંગે ઝોન 5 DCP અચલ ત્યાગીએ કહ્યું હતું કે આ પ્રકારના સેમિનાર પોલીસકર્મીઓ માટે થાય તે જરૂરી છે. કારણકે પોલીસકર્મીઓની જિંદગીમાં હંમેશા સ્ટ્રેસ રહેતો હોય છે, જેને સમયસર નિયંત્રણ ન કરવામાં આવે તો તે ભવિષ્યમાં જોખમી સાબિત થતો હોય છે. ઝોન 5 દ્વારા પોલીસકર્મીઓને મદદરૂપ થવા માટે આ બીડું ઉપાડ્યું છે અને દર 2 મહિને આ પ્રકારના સેમિનાર થતાં રહે તે માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ રહેશે.

આ પણ વાંચો: Chhota Udaipur: છોટાઉદેપુર વિસ્તારમાં આદિવાસીઓ માટે આધારસ્તંભ સમા ડોલોમાઇટ પથ્થર ઉદ્યોગને લાગ્યું મહામારીનું ગ્રહણ

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">