Ahmedabad: દરિયાપુરમાં વિજચોરીને લઈને સર્ચ ઓપરેશન, ટોરેન્ટના અધિકારીઓ અને પોલીસ પર થયો પથ્થરમારો, 150 લોકો વિરૂધ્ધ નોંધાયો ગુનો
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં વિજચોરીને લઈને મેગા સર્ચ ઓપરેશન દરમિયાન ટોરેન્ટ પાવરના અધિકારીઓ તેમજ પોલીસ ઉપર સ્થાનિકોએ પથ્થરમારાના કેસમાં 150 લોકો વિરૂધ્ધ નોંધાયો હતો.
Ahmedabad: શહેરના દરિયાપુર વિસ્તારમાં વિજચોરીને લઈને મેગા સર્ચ ઓપરેશન દરમિયાન ટોરેન્ટ પાવરના અધિકારીઓ તેમજ પોલીસ ઉપર સ્થાનિકોએ પથ્થરમારો કેસમાં પોલીસે 150 લોકો વિરૂધ્ધ અલગ અલગ બે ગુનો નોંધી 3 આરોપીની અટકાયત કરી હતી.
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં વિજચોરીને લઈને મેગા સર્ચ ઓપરેશન દરમિયાન ટોરેન્ટ પાવરના અધિકારીઓ તેમજ પોલીસ ઉપર સ્થાનિકોએ પથ્થરમારાના કેસમાં પોલીસે 150 જેટલા ટોળા વિરુદ્ધ રાયોટિંગ, કાવતરું ઘડી હુમલો કરવા અને ફરજમાં રુકાવટને લઈને આરોપી રફીક નૂર શેખ, હમીદુલ્લા શેખ, કાસમ મોહમ્મદ, સલીમ અને નઝીર મોહમદ શેખ સહિત ટોળા વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે.
આ પથ્થરમારામા 150 જેટલા ટોળામાં 50 જેટલી મહિલાઓએ ટોરેન્ટ કર્મી અને પોલીસ પર પથ્થરમારો કરીને સૂત્રોચ્ચાર કર્યા અને રસ્તો રોકીને લોકો અડચણ ઉભું કર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામા આવ્યો છે. દરિયાપુર પોલીસે બે જુદી જુદી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી.
દરિયાપુર પોલીસે ટોળા વિરૂધ્ધ સરકાર તરફથી એક ફરિયાદ અને બીજી ટોરેન્ટ પાવરના અધિકારીની ફરિયાદ લીધી છે. વીજ ચોરીના મેગા સર્ચ ઓપરેશનેમા પથ્થરમારાના કારણે તંગદીલીનો મહોલ સર્જાયો હતો. ગેરકાયદે વિજ જોડાણ કાપવા માટે પોલીસ બંદોબસ્ત સાથે ટીમ દરિયાપુરના તંબુચોકી પાસે ગઇ હતી જ્યા એકાએક નગીના પોળમાં પથ્થરમારો કરી દેતા મામલો બીચક્યો હતો.
આ પથ્થરમારામાં 14 જેટલા ટોરેન્ટ પાવર કર્મી સહિત પોલીસ જવાન ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હવે આ મામલે પોલીસ હરકતમાં આવી 50 મહિલાઓ સહિત કુલ 150 લોકો સામે ગુનો નોંધી સઘન કાર્યવાહી હાથ ધરી છે.
દરિયાપુર પોલીસે 3 વ્યકતિની અટકાયત કરી છે. આ ઉપરાંત વીજ ચોરીને લઈને પણ ગુનો નોંધવામા આવ્યો છે. આ હુમલાના ષડયંત્રમા સંડોવાયેલા અન્ય આરોપીની ધરપકડની પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો: BPNL Recruitment 2021: ભારતના પશુપાલન નિગમ લિમિટેડમાં બમ્પર વેકેન્સી, 30 નવેમ્બર સુધીમાં કરો અરજી