Ahmedabad: કાલુપુર સ્વામિનારાયણ મંદિરના આશ્રમમાંથી 7 વર્ષનું બાળક ગુમ, સીસીટીવીએ ભેદ ઉકેલ્યો

ગત રાત્રે 8.30 વાગ્યે બાળક ગુમ થઈ જતાં તાત્કાલિક પોલીસને જાણ કરી દેવામાં આવી હતી. બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી મોડી રાત સુધી તપાસ કરવા છતાં બાળક ગુમ થવા વિશે કોઈ જાણકરી નળી નહોતી.

Ahmedabad: કાલુપુર સ્વામિનારાયણ મંદિરના આશ્રમમાંથી 7 વર્ષનું બાળક ગુમ, સીસીટીવીએ ભેદ ઉકેલ્યો
Symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2022 | 11:43 AM

અમદાવાદ (Ahmedabad) માં આવેલા કાલુપુર સ્વામિનારાયણ મંદિર (Kalupur Swaminarayan temple) માં ચાલતી આંગન સંસ્થામાંથી 7 વર્ષનું બાળક ગુમ થયું હતું. આ સંસ્થામાં અનાથ બાળકોને રાખવામાં આવે છે. ગત 25મે ના રોજ બાળકને સંસ્થામાં લાવવામાં આવ્યું હતું. એક અઠવાડિયામાં જ આ બાળક અચાનક ગુમ થઈ જતાં દોડધામ મચી ગઈ હતી. ગત રાત્રે 8.30 વાગ્યે બાળક ગુમ થઈ જતાં તાત્કાલિક પોલીસને જાણ કરી દેવામાં આવી હતી. બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. મોડી રાત સુધી તપાસ કરવા છતાં બાળક ગુમ થવા વિશે કોઈ જાણકારી મળી નહોતી. બાળક ગુમ થવા વિશે અનેક તર્ક વિતર્ક શરૂ થયા હતા, પણ પોલીસની તપાસમાં એવો ખુલાસો થયો કે લોકો ચોકી ગયા હતા.

પોલીસની ટીમ દ્વારા આજે સવારે ફરીથી બાળકની તપાશ શરૂ કરવામાં આવી હતી જેમાં બાળક ગુમ થવા વિશે મોટો ખુલાસો થયો છે. અમદાવાદના કાલુપુરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના આશ્રમમાંથી 7 વર્ષનું બાળક ગુમ થવા અંગે ખુલાસો થયો છે. આશ્રમમાંથી ગુમ નહીં પરંતુ જાતે જ ભાગ્યું હોવાનું સામે આવ્યું છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના અનાથ આશ્રમમાંથી કાલે સાજે 8.30 વાગ્યે બાળક જમીને જાતે જ ભાગી ગયો હતો. મહત્વનું છે કે બાળક વાસણાથી બિનવારસી હાલતમાં મળી આવતા કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં ચાલતા અનાથ આશ્રમમાં લવાયું હતું. 25 મેના રોજ બાળકને સંસ્થામાં મુકવામાં આવ્યો હતો. હાલ તો પોલીસે આશ્રમમાંથી ભાગેલા બાળકની સીસીટીવીને આધારે શોધખોળ શરૂ કરી છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">