Rathyatra 2022: પાંચ દાયકા બાદ ઠાકોર પરિવારની પ્રતિક્ષાનો આવ્યો અંત, ભગવાનને અર્પણ કર્યું મોઘેરું મોસાળું
રથયાત્રા ( Ahmedabad Rathyatra 2022)યોજાય તે પહેલા ભગવાન જગ્નાનથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બળભદ્રજીને રથયાત્રાના દિવસે પહેરવા જરિયાન વસ્ત્રાભૂષણોનું મોઘેરું મામેરૂ ઘરવામાં આવ્યું હતું. આ મોસાળું સરસપુર ખાતે દર્શનાર્થે મૂકવામાં આવ્યું હતું.
Ahmedabad Rathyatra 2022 : જગતના નાથ અષાઢી બીજના દિવસે નગરચર્યાએ નીકળશે ત્યારે તેમના માટે મોસાળામાં મૂલ્યવાન વસ્ત્રો અને આભૂષણો લાવવામાં આવ્યા હતા. (Ahmedabad )અમદાવાદનું સરસપુર (Saraspur Mosalu)ભગવાનનું મોસાળ ગણાય છે રથયાત્રાના દિવસે ત્યાં ભગવાન વિશ્રામ કરે છે ત્યારે ત્યાં ભગવાનની પૂજા અર્ચના કરીને મોસાળું ચઢાવવામાં આવે છે અને રથયાત્રામાં સામેલ તમામ લોકો માટે અહીં ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. ભગવાનનું મોસાળું વર્ષોવર્ષ રાહ જોવાતી હોય છે ત્યારે આ વખતે 7 વર્ષ રાહ જોયા બાદ ઠાકોર સમાજની મનોકામના પૂર્ણ થઈ હતી અને મામેરાના યજમાન તરીકે મહેશભાઈ ઠાકોરને મોસાળું કરવાનો લ્હાવો પ્રાપ્ત થયો હતો. ઉલ્લેખનીય છેકે 144 વર્ષમાં પ્રથમ વાર ઠાકોર સમાજને મોસાળું કરવાની તક મળી છે. આથી પરિવારના લોકો અતિશય હર્ષની લાગણી અનુભવી રહ્યા છે તેમજ ભગવાનને મોસાળું ધરાવતા ગદગદિત થઈ ગયા હતા.
50 વર્ષે આવ્યો પ્રતિક્ષાનો અંત, પરિવાર થયો ગદગદિત્
યજમાન મહેશભાઇ ઠાકોરે જણાવ્યું હતું કે તેમના પિતાજીની 50 વર્ષોની લાંબી પ્રતિક્ષાનો અંત આવ્યો છે અને મોસાળાની ધન્ય ઘડી પ્રાપ્ત થઈ છે અને અમારા તરફથી ભગવાનના વાઘા રજવાડી અને મહારાષ્ટ્રીયન સ્ટાઇલના વાઘા છે જેમાં લીલા, કેસરી અને વાદળી રંગનો મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવ્યો છે ભગવાન નગરયાત્રા દરમિયાન ખાસ પેશ્વાઓ પહેરે છે તેવી પાઘ પહેરશે. જે મામેરામાં મૂકવામાં આવી હતી. ઠાકોર પરિવારે જગતના નાથને ધરવામાં આવેલા મોસાળામાં સહેજ પણ કસર છોડી નથી અને સુભદ્રાજીની નાકની ચૂકથી માંડીને ભાઈ જગ્નાથ તથા બલરામજીના સંપૂર્ણ શણગાર ધરવામાં આવ્યા છે.
કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરતા ઓનલાઇન કરી શકાશે દર્શન
રથયાત્રા અને કોવિડના કેસને અનુલક્ષીને મામેરાના દર્શન માટે ઓનલાઇન વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી ભીડ ભેગી ન થાય તે માટે કોવિડ ગાઇડલાઇનનું પાલન કરતા નક્કી કરેલા લોકો જ મામેરાના દર્શન કરવા આવી શકશે.
શા માટે સરસપુરમાં થાય છે મોસાળું
સરસપુર જગન્નાથજીનું મોસાળ માનવામાં આવે છે અને અમદાવાદ શહેરની નગરચર્યા દરમિયાન ભગવાન તથા ભક્તો બપોરે વિશ્રામ કરે છે અને સરસપુરમાં ભગવાન તથા ભકતોનું ભવ્ય સ્વાગત કરીને ભાવતા ભોજન જમાડવામાં આવે છે અને મોસાળું અર્પણ કર્યા બાદ ભગવાનને આગળની નગરચર્યા માટે વિદાય કરવામાં આવે છે.