તુર્કીથી ડુંગળી મંગાવ્યા બાદ વધુ એક શાકભાજી મંગાવવાનો વારો આવ્યો, જાણો કે મોસંબી જેવી દેખાતી આ વસ્તુ શું છે

જથ્થો ગત રોજ તુર્કીથી મુંબઇ અને મુંબઈથી અમદાવાદ પહોંચ્યો. જેમાં અમદાવાદ ખાતે 14 હજાર કિલો જથ્થો આવી પહોંચ્યો છે.

તુર્કીથી ડુંગળી મંગાવ્યા બાદ વધુ એક શાકભાજી મંગાવવાનો વારો આવ્યો, જાણો કે મોસંબી જેવી દેખાતી આ વસ્તુ શું છે
lemon from Turkey
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: May 16, 2022 | 9:48 PM

ગરમીમાં લીંબુ શરબત સૌથી વધુ રાહત અને એનર્જી આપે છે પણ લીંબુના ભાવ આસમાને પહોંચતાં શરબતમાંથી લીંબુ ગાયબ થવા લાગ્યા. ગરમી વચ્ચે લીંબુની આવક ઓછી અને ડિમાન્ડ વધતા ભાવમાં તોતિંગ વધારો થયો છે, જેના કારણે લીંબુ લોકોના ઘરમાંથી ગાયબ થઈ ગયા છે. ત્યારે આ મુશ્કેલીને પહોંચી વળવા વેપારીઓએ એક રસ્તો શોધી લીધો અને તુર્કીથી સસ્તા ભાવે લીંબુ આયાત કરાયાં છે. જેથી લીંબુની અછત વચ્ચે લોકોની ડિમાન્ડને પહોંચી વળી શકાય.

પહેલી નજરે જોતા આ લીંબુ કોઈ નારંગી કે મોશમબી લાગશે. પણ ના. આ લીંબુ જ છે. મોટા આકારના દેખાતા આ લીંબુ તુર્કીથી મંગાવવામાં આવ્યા છે. અને તેનું કારણ છે ગુજરાતમાં આવતા લીંબુની આવકમાં ઘટાડો અને વધુ ડિમાન્ડ સામે ઓછી આવકને પહોંચી વળવા લેવાતા વધુ ભાવ.  જે પરિસ્થિતિને પહોંચી વળવા વેપારીએ રસ્તો શોધ્યો અને તુર્કીથી 5 ટેન્કર મારફતે 1 લાખ 15 હજાર કિલોનો જથ્થો મંગાવ્યો. જે જથ્થો ગત રોજ તુર્કીથી મુંબઇ અને મુંબઈથી અમદાવાદ પહોંચ્યો. જેમાં અમદાવાદ ખાતે 14 હજાર કિલો જથ્થો આવી પહોંચ્યો છે. જોકે તુર્કીથી એક મહિને લીંબુ આવતા સમય લાગતા કેટલાક લીંબુ બગડી પણ ગયા હતાં. જે ફેંકવાનો પણ વારો આવ્યો છે.

શુ છે સાદા લીંબુ અને તુર્કીના લીંબુમાં ફરક

સાદા લીંબુ નાના અને વજનમાં 25 ગ્રામ આસપાસ અને રસ નહિવત જેટલો નીકળે છે. તેમજ મોંઘા હોય છે. જે  થોડા દિવસ પહેલા હોલસેલ માર્કેટમાં 130 રૂપિયે કિલો આસપાસ મળતા તો રિટેલ બજારમાં 200 થી 300 રૂપિયે કિલો આસપાસ હતા. જે હાલમાં 60 રૂપિયે કિલો ભાવ મળી રહ્યા છે. જ્યારે તુર્કીના લીંબુ મોસંબી જેટલી સાઈઝના અને 100 ગ્રામ વજનના આવે છે અને તેમાં રસ વધુ નીકળે છે. તેમજ સસ્તા ભાવે મળે છે. અંદાજે 70 રૂપિયે કિલો ભાવે  આસપાસ મળે છે. જોકે બંને લીંબુમાં સ્વાદમાં ફરક છે. કેમ કે તુર્કીના લીંબુ જ્યુસમાં વધુ વપરાય છે અને મુંબઇ સહિત અન્ય શહેરમાં તેનો વધારે ઉપયોગ થાય છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ગુજરાતમાં ભાવનગર અને મોરબીમાં થતા પાકની સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખપત છે. તો અમદાવાદમાં મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકથી લીંબુ આવે છે. જોકે કુદરતી આફતને કારણે પાકને નુકસાન થતા આવક ઘટી અને તેની સામે ગરમી વચ્ચે ડિમાન્ડ વધતા તેનો વેપારીઓએ સીધો લાભ લીધો. અને લીંબુ બમણા ભાવે એટલે કે માર્કેટમાં 130 રૂપિયે કિલો મળતા લીંબુ બહારના બજારમાં 300 રૂપિયા કિલો લીંબુ વેચાયા હતા. તો ગુજરાતમાંથી પાક નહિ હોવાથી અછત વધુ અને ડિમાન્ડ વધુ વચ્ચે ત્યારે તુર્કીમાં પુષ્કળ પાક થતા અને નહિવત વેચાણ સામે ગુજરાતમાં ઓછી આવક અને વધુ ડિમાન્ડ અને વધુ ભાવને પહોંચી વળવા વેપારીઓએ તુર્કીથી લીંબુ આયાત કર્યા.

હાલ તો લીંબુની ઓછી આવક અને વધુ ભાવને પહોંચી વળવા વેપારીઓએ પ્રયાસ કર્યો છે. તો આગામી દિવસમાં ગુજરાતના લીંબુની આવક વધતા ભાવ હજુ વધુ ઘટવાની શક્યતાઓ છે. ત્યારે જોવાનું એ પણ રહે છે કે તુર્કીના લીંબુ ગુજરાતના સાદા લીંબુની ખોટ અને રસની મધુરતા પુરી શકશે કે કેમ.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">