અમદાવાદના મહેમાન બન્યા બોલિવૂડ અભિનેતા માધવન, આ ખાસ કારણથી શહેરની કરી મુલાકાત
Ahmedabad : માધવને ઈસરોના સ્પેસ ઈજનેર નાંબી નારાયણની જિંદગી પર ફિલ્મ બનાવી છે.જેમાં માધવન અલગ જ અંદાજમાં જોવા મળશે.
બોલિવૂડ અભિનેતા આર.માધવનની (R Madhavan) અપકમિંગ ફિલ્મ રોકેટ્રી ધ નાંબી ઈફેક્ટ રિલીઝ થવા જઈ રહી છે ત્યારે ફિલ્મ પ્રમોશન(Film Promotion) માટે માધવન અમદાવાદના મહેમાન બન્યા હતા. માધવને ઈસરોના સ્પેસ ઈજનેર નાંબી નારાયણની જિંદગી પર ફિલ્મ બનાવી છે.જેમાં માધવન અલગ જ અંદાજમાં જોવા મળશે.ત્યારે ટીવીનાઈનના (Tv9) સંવાદદાતાએ આર.માધવન સાથે ખાસ વાતચીત કરી હતી.
આર માધવન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું (Film Industry) એક એવું નામ છે, જેણે અનેક ફિલ્મોમાં પોતાની સારી એક્ટિંગથી (Acting) આ વાતનો પુરાવો આપ્યો છે. માધવન એક અભિનેતા, એક લેખક, એક નિર્માતા અને એકટીવી પ્રસ્તુતકર્તા છે. તેણે પોતાના અભિનયના દમ પર અત્યાર સુધી ઘણા એવોર્ડ જીત્યા છે. માધવનને તમિલનાડુ રાજ્ય પુરસ્કાર પણ મળ્યો છે.
માધવને બોલિવૂડમાં ‘રહેના હૈ તેરે દિલ મેં’થી મેળવી ઓળખ
માધવનને હિન્દી ફિલ્મોમાં ‘રહેના હૈ તેરે દિલ મેં’થી ઓળખ મળી હતી. આ એક લવ સ્ટોરી હતી. આ ફિલ્મમાં માધવનની સાથે દિયા મિર્ઝા હતી. આ ફિલ્મને ઘણી સફળતા મળી અને તેણે સારો બિઝનેસ પણ કર્યો. આ ફિલ્મ પછી માધવનની પાસે ફિલ્મો આવતી રહી. આજે તે ઘણી મોટી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. વર્ષ 2010માં તેણે રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘3 ઈડિયટ્સ’માં કામ કર્યું હતું. જેણે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ ફિલ્મમાં તેની સાથે આમિર ખાન, શરમન જોશી અને કરીના કપૂર ખાન જોવા મળ્યા હતા.