300 કિલો માટીથી બનાવી 18 ફૂટની ગણપતિની ઈકો ફ્રેન્ડલી મૂર્તિ, જુઓ PHOTOS
સરકાર સતત એવા પ્રયત્નો કરી રહી છે કે આપણાં તહેવારોના લીધ પર્યાવરણને નુકસાન ન થાય. ગણેશ ચર્તુથીના તહેવારમાં અનેક શહેરોમાં ગણેશ ભગવાનની મૂર્તિઓ લાવવામાં આવે છે. હવે લોકોમાં આ મૂર્તિઓને લઈને સમજણ આવી રહી છે તેનો કિસ્સો મણિનગરમાં જોવા મળ્યો છે. મણિનગરમાં 18 ફૂટની ગણેશજીની પ્રતિમા માટી દ્વારા બનાવવામાં આવી છે. Web Stories View more […]
સરકાર સતત એવા પ્રયત્નો કરી રહી છે કે આપણાં તહેવારોના લીધ પર્યાવરણને નુકસાન ન થાય. ગણેશ ચર્તુથીના તહેવારમાં અનેક શહેરોમાં ગણેશ ભગવાનની મૂર્તિઓ લાવવામાં આવે છે. હવે લોકોમાં આ મૂર્તિઓને લઈને સમજણ આવી રહી છે તેનો કિસ્સો મણિનગરમાં જોવા મળ્યો છે. મણિનગરમાં 18 ફૂટની ગણેશજીની પ્રતિમા માટી દ્વારા બનાવવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મણિનગરના દક્ષિણી વિસ્તારમાં આવેલી નરનારાયણ સોસાયટીમાં નરનારાયણ મિત્ર મંડળ દ્વારા આ નવો અભિગમ કેળવવામાં આવ્યો છે. આ મૂર્તિને બનાવવા માટે કોલકાત્તાથી કારીગરો બોલાવવામાં આવ્યા હતા. 18 ફૂટની ઉંચી મૂર્તિને 300 કિલો માટી, 100 ઘાસના પૂડા અને 10 બામ્બૂ દ્વારા બનાવવામાં આવી છે. આ મૂર્તિને બનાવવા માટે 3 મહિના જેટલો સમય લાગ્યો હતો. આ મૂર્તિને સ્થળ પર પાણીથી વિર્સજિત કરવામાં આવશે અને બાદમાં તે માટીનો ઉપયોગ બગીચામાં કરવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આમ આ માટીની મૂર્તિ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. સતત 3 મહિનાના શ્રમ બાદ કોલકાત્તાના કારીગરો દ્વારા બનાવવામાં આવેલી આ મૂર્તિ જોવા લોકો ઉમટી રહ્યાં છે. આ મૂર્તિનો બનાવવાનો ખર્ચ અંદાજે 75 હજાર જેટલો આવ્યો છે તેવું રિપલ જયેશ ભાગડેએ જણાવ્યું હતું.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]