માંડલના વરમોરમાં દલિત યુવકની હત્યાઃ મૃતકની પત્નીએ પોલીસ સમક્ષ કર્યા આ વાતોના ખુલાસા
માંડલના વરમોરમાં દલિત યુવકની હત્યા કેસમાં આખરે પોલીસે તેની પત્નીને શોધી કાઢી છે. યુવતી અત્યારે પોતાના સંબંધીના ઘરે હોવાની માહિતી પોલીસે આપી છે. જો કે, યુવતીએ ક્યાં છે. તે સ્થળની માહિતી આપવાનો ઈનકાર કરી દીધો. યુવતીને ક્યાં જવું છે, તે અંગે પણ પોલીસે સવાલ કર્યો હતો. પરંતુ તેણે માતા સાથે રહેવાની જ ઈચ્છા વ્યક્ત કરી. […]
માંડલના વરમોરમાં દલિત યુવકની હત્યા કેસમાં આખરે પોલીસે તેની પત્નીને શોધી કાઢી છે. યુવતી અત્યારે પોતાના સંબંધીના ઘરે હોવાની માહિતી પોલીસે આપી છે. જો કે, યુવતીએ ક્યાં છે. તે સ્થળની માહિતી આપવાનો ઈનકાર કરી દીધો. યુવતીને ક્યાં જવું છે, તે અંગે પણ પોલીસે સવાલ કર્યો હતો. પરંતુ તેણે માતા સાથે રહેવાની જ ઈચ્છા વ્યક્ત કરી. આ કિસ્સા જ્યારે સામે આવ્યો ત્યારે એવું કહેવાતું હતું કે, તે ગર્ભવતી છે. જો કે યુવતીએ આ વાતનો ઈનકાર કર્યો છે. પોલીસનું કહેવું છે કે, જો યુવતીની સહમતી હશે. તો અંગે તબીબી તપાસ પણ કરાશે.
આ પણ વાંચોઃ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ આ દિવસે કેસરીયો ધારણ કરી શકે છે
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પહેલા એવું પણ સામે આવ્યું હતું કે, આ યુવતીએ માંડલ પોલીસ સ્ટેશન અને મુખ્યપ્રધાન સુધી આ મામલે રજૂઆત કરી હતી. પોલીસે પણ આ વાત સ્વીકારી છે. પોલીસે કહ્યું છે કે, અંજારથી યુવતીએ અરજી કરી હતી. જેમાં તેના લગ્નની માહિતી હતી. અને સાથે જ તેણે પરિવાર તરફથી ભય હતો. તે અંગે પણ આશંકા વ્યક્ત કરી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ કિસ્સામાં એ પણ સામે આવ્યું છે કે, અભયમની ટીમ સાથે જવા માટે મૃતક યુવકે જીદ પકડી હતી. તેની જીદને કારણે અભયમની ટીમ તેને લઈને યુવતીને પરત લેવા પહોંચી હતી. જ્યાં તેની હત્યા થઈ.
[yop_poll id=”1″]