Ahmedabad: અનુપમ બ્રિજ પાસે દીવાલ ધરાશાયી થતા બેનાં મોત, JCB ની ટક્કરથી દીવાલ તૂટી પડી હતી

દીવાલ પાસે હાજર પિતા-પુત્ર પર દીવાલ પડતાં બંનેના મોત થઈ ગયાં હતાં જ્યારે એક યુવક ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે એલજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

| Updated on: May 21, 2022 | 5:57 PM

અમદાવાદ (Ahmedabad) માં અનુપમ બ્રિજ પાસે દીવાલ ધરાશાયી થતાં બે વ્યક્તિનાં મોત (Death)  નીપજ્યાં છે. JCB ની ટક્કરથી દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. સલાટનગર વસાહતની દીવાલ સાથે JCB અથડાતાં અચાનક જ દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ સમયે ત્યાં હાજર પિતા-પુત્ર પર દીવાલ પડતાં બંનેના મોત થઈ ગયાં હતાં જ્યારે એક યુવક ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે એલજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં ત્રણેયને દીવાલના કાટમાળ નીચેથી બહાર કાઢીને રેસ્ક્યુ કરી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ફાયર બ્રિગેડે ત્યાં પહોંચીને અન્ય કામગીરી હાથ ધરી હતી. ઘટના બાદ ત્યાં હાજર લોકોએ જેસીબી પર પથ્થરમારો કર્યો હતો. ભારે હોબાળો થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

ખોખરા કાંકરિયા સાથે જોડતા અનુપમ ઓવરબિજ પાસે સલાટનગર વસાહતની વીસેક ફુટ લાંબી દિવાલ હતી. ભારે ગરમીને કારણે પિતા – પુત્રી દિવાલ પાસે છાયડામાં આવીને બેઠા હતા. દરમિયાન પાંચેક ફુટ ઉંચી આ દીવાલ સાથે જેસીબી અથડાતાં તે ધરાશયી થતા બંને પિતાપુત્ર દટાયાં હતાં. ઘટનાની જાણ થતાં ગોમતીપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. જ્યારે ફાયરની ટીમ પણ આવી પહોંચી હતી.

સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે લાંબો સમયથી અહીં બ્રિજની કામગીરી ચાલી રહી છે. આ લોકો મન ફાવે તેમ કામ કરે છે. તેમને વારંવાર સુચના આપવા છતાં તેઓ કોઇ ધ્યાન રાખતા નથી. આજે જેસીબીનો કોન્ટ્રાક્ટર પોતે જ તે ચલાવતો હોવાનું અને તે પણ દારૂ પીને ચલાવતો હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે.

Follow Us:
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">