AHMEDABAD : ટ્રાવેલ્સ સંચાલકો તેમજ ટ્રાન્સપોર્ટરની મુશ્કેલીમાં 1 એપ્રિલથી થશે વધારો, જુઓ કેમ ?
AHMEDABAD : દેશભરના ટ્રાવેલ્સ સંચાલકો તેમજ ટ્રાન્સપોર્ટરની મુશ્કેલીમાં 1 એપ્રિલથી વધારો થશે. 1 એપ્રિલથી દેશના વિવિધ નેશનલ ટોલપ્લાઝા પર ટોલટેક્સની કિંમતમાં વધારો થશે.
AHMEDABAD : દેશભરના ટ્રાવેલ્સ સંચાલકો તેમજ ટ્રાન્સપોર્ટરની મુશ્કેલીમાં 1 એપ્રિલથી વધારો થશે. 1 એપ્રિલથી દેશના વિવિધ નેશનલ ટોલપ્લાઝા પર ટોલટેક્સની કિંમતમાં વધારો થશે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વિવિધ ટોલપલાઝાના ટોલટેક્સમાં 5-7% વધારો કરવાની જાહેરાત કરી છે. ટ્રાવેલ્સ સંચાલકોએ ટોલટેક્સ વધારાને અયોગ્ય ગણાવ્યો છે. આગામી દિવસોમાં કેન્દ્ર સરકારને ભાવ વધારો પાછો ખેંચવા રજુઆત કરશે. ટુર ઓપરેટર્સ તેમજ ટ્રાવેલ્સ સંચાલકો પહેલેથી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેવામાં ટોલટેક્સની કિંમતમાં ભાવ વધારો પડ્યા પર પાટા સમાન છે.