PSI દેવેન્દ્રસિંહની આત્મહત્યાનો કેસઃ પત્નીએ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે જો 7 દિવસમાં ન્યાય નહીં તો કરીશ આપઘાત
કરાઈ પોલીસ એકેડમીમાં તાલીમ લઈ રહેલા PSI દેવેન્દ્રસિંહ રાઠોડ આત્મહત્યા કેસમાં પરિવારજનોને હજુ સુધી ન્યાય મળ્યો નથી. મૃતકના પત્ની ડિમ્પલ રાઠોડે 7 દિવસમાં ન્યાય ન મળે તો આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે. ડિમ્પલ રાઠોડે ડીવાયએસપી એમ. પી. પટેલની 7 દિવસમાં ધરપકડ ન થાય તો વિધાનસભામાં આત્મહત્યાની ચીમકી આપી છે. આ પણ વાંચોઃ ભારતીય આર્મીમાં થઈ શકે […]
કરાઈ પોલીસ એકેડમીમાં તાલીમ લઈ રહેલા PSI દેવેન્દ્રસિંહ રાઠોડ આત્મહત્યા કેસમાં પરિવારજનોને હજુ સુધી ન્યાય મળ્યો નથી. મૃતકના પત્ની ડિમ્પલ રાઠોડે 7 દિવસમાં ન્યાય ન મળે તો આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે. ડિમ્પલ રાઠોડે ડીવાયએસપી એમ. પી. પટેલની 7 દિવસમાં ધરપકડ ન થાય તો વિધાનસભામાં આત્મહત્યાની ચીમકી આપી છે.
મૃતકના પત્નીએ કહ્યું કે અમે સીએમથી લઈને ગૃહ પ્રધાનને રજૂઆત કરી છે. ન્યાય માટે 5 મહિનાથી વારંવાર ધક્કા ખાઈ રહ્યાં છીએ. મૃતકના પત્નીએ આક્ષેપ કર્યો કે એક પોલીસ જવાનના પરિવારને ન્યાય ન મળે તે ચિંતાજનક છે. આ કેસની તપાસ અન્ય કોઈ એજન્સીને સોંપવાની પણ મૃતકના પત્નીએ માગણી કરી.