Ahmedabad : SVP હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરોની નારાજગી યથાવત, રસીકરણની કામગીરીમાંથી મુક્તિની માગ

Ahmedabad: SVP હોસ્પિટલના તમામ રેસિડેન્ટ ડોક્ટરો યુટીલિટી બિલ્ડીંગની બહાર પહોંચ્યા હતા. રસીકરણ કામમાંથી મુક્તિ આપવાની રેસિડેન્ટ ડોકટરોએ માંગ કરી છે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 13, 2021 | 1:02 PM

Ahmedabad: SVP હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરોની નારાજગી હજી યથાવત છે. SVP હોસ્પિટલના તમામ રેસિડેન્ટ ડોક્ટરો યુટીલિટી બિલ્ડીંગની બહાર પહોંચ્યા હતા. રસીકરણ કામમાંથી મુક્તિ આપવાની રેસિડેન્ટ ડોકટરોએ માંગ કરી છે. મા કાર્ડ-આયુષ્માન કાર્ડ હેઠળ દર્દીઓની સારવાર શરૂ કરવા ડેકટરોની માંગ છે. ગઈકાલથી વિરોધ કરી રહેલા 10 રેસીડેન્ટ ડોકટોરોને કોર્પોરેશન તરફથી નોટીસ આપવામાં આવી હતી.

રેસીડેન્ટ ડોકટોરો દ્વારા માગ સ્વિકારાશે નહીં ત્યાં સુધી કામથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. કાલથી તમામ રેસિડેન્ટ ડોકટરોએ નોન-ઈમર્જન્સી તેમજ વોર્ડ અંતર્ગત કરવાની રહેતી કામગીરી બંધ કરી છે. ઈમરજન્સી ડ્યુટીમાં એકમાત્ર રેસિડેન્ટ ડોકટર ફરજ બજાવશે

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">