અમદાવાદ: રાજપથ અને કર્ણાવતી કલબમાં પ્રથમ 2 નોરતાના ગરબા કેન્સલ
ચાલુ વર્ષે અમદાવાદમાં પણ મેઘરાજા નવરાત્રીની મજા બગાડી શકે છે. વરસાદની આગાહીને પગલે અમદાવાદમાં રાજપથ ક્લબ અને કર્ણાવતી ક્લબે નવરાત્રીના પહેલા 2 નોરતાના ગરબાને રદ્દ કર્યા છે. મહત્વનું છે કે હવામાન વિભાગે આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, તેમ જ રાજપથ ક્લબ અને કર્ણાવતી ક્લબના ગરબા ગ્રાઉન્ડ અને પાર્કિંગમાં હજુ પણ વરસાદી પાણી […]
ચાલુ વર્ષે અમદાવાદમાં પણ મેઘરાજા નવરાત્રીની મજા બગાડી શકે છે. વરસાદની આગાહીને પગલે અમદાવાદમાં રાજપથ ક્લબ અને કર્ણાવતી ક્લબે નવરાત્રીના પહેલા 2 નોરતાના ગરબાને રદ્દ કર્યા છે. મહત્વનું છે કે હવામાન વિભાગે આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, તેમ જ રાજપથ ક્લબ અને કર્ણાવતી ક્લબના ગરબા ગ્રાઉન્ડ અને પાર્કિંગમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્યારે ખેલૈયાઓને તકલીફ ન પડે તે માટે બંને ક્લબ તરફથી પહેલા 2 દિવસના નોરતા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ 2 દિવસ બાદ આગળના નોરતાને લઈ પ્લાન નક્કી કરવામાં આવશે. મેઘરાજાને કારણે ચાલુ વર્ષે નવરાત્રીનું ધોવાણ થાય અને ખેલૈયાઓની મજા પર પાણી ફરી વળે તેવા ચોક્કસ અણસાર લાગી રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો