Ahmedabad : વાડજ સરકારી ચાવડીમાં અરજદારોને આવકનો દાખલો કઢાવવો પણ લોઢાના ચણા ચાવવા સમાન

અમદાવાદ શહેરના સુભાષબ્રિજ વિસ્તારમાં આવેલ વાડજ સરકારી ચાવડીમાં રોજના 60 ટોકન અરજદારોને આપવામાં આવે છે. વહેલી સવારે આવેલા અરજદારોને 60 ટોકન મળે છે.

Ahmedabad : વાડજ સરકારી ચાવડીમાં અરજદારોને આવકનો દાખલો કઢાવવો પણ લોઢાના ચણા ચાવવા સમાન
Vadaj Government Chawdi
Follow Us:
Pratik jadav
| Edited By: | Updated on: Jul 23, 2021 | 4:52 PM

Ahmedabad : એક તરફ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આવકનો દાખલો કઢાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. તો બીજી તરફ આવકનો દાખલો કઢાવવા માટે ફક્ત મર્યાદિત સેન્ટરો હોવાના કારણે અરજદારોને આવકનો દાખલો કઢાવવા માટે ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે.

વિધવા સહાય યોજના હોય કે વૃદ્ધ પેનશન આ સિવાય વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આવકનો દાખલો ફરજીયાત છે. પરંતુ આ જ આવકનો દાખલો કઢાવવા માટે અરજદારોને આંખે પાણી આવી રહ્યા છે. કારણ કે આવકનો દાખલો કાઢવાની કામગીરી મર્યાદિત કચેરીઓમાં જ કરવામાં આવે છે. અને કેટલીક કચેરીઓમાં તો દિવસ દરમ્યાન ફક્ત 60 જ આવકના દાખલ કાઢવાની કામગીરી કરવામાં આવે છે જેને કારણે અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદ શહેરના સુભાષબ્રિજ વિસ્તારમાં આવેલ વાડજ સરકારી ચાવડીમાં રોજના 60 ટોકન અરજદારોને આપવામાં આવે છે. વહેલી સવારે આવેલા અરજદારોને 60 ટોકન મળે છે. ત્યારબાદ આવેલા અરજદારોને બીજા દિવસે આવવાનું રહે છે. જોકે સમગ્ર પરિસ્થિતિમાં અરજદારોને હેરાન થવું પડતું હોવાને કારણે અરજદાર દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા કે એક દિવસમાં ફક્ત 60 જ આવકના દાખલાની કામગીરી કેટલી યોગ્ય છે?

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આવકના દાખલાની જરૂરિયાત તમામ ઉંમરના વ્યક્તિઓને પડતી હોવાને કારણે આવી કચેરીઓમાં વૃદ્ધો પણ આવતા હોય છે. જેને કારણે વૃદ્ધોને પણ હેરાન થવું પડી રહ્યું છે. આવા જ એક વૃદ્ધ જશવંતસિંહ ચાવડા દ્વારા સિનિયર સિટીઝનો માટે આવકનો દાખલો કઢાવવામાં સરળતા રહે તે માટેની ચોક્કસ વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ આવકના દાખલ માટેની કામગીરી એક જ જગ્યાએ થઈ જાય તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવા રજુઆત કરવામાં આવી છે.

કારણ કે વાડજ ચાવડીમાં આવકનો દાખલો કઢાવવા લાઈનમાં ઉભું રહેવું પડે છે. ત્યારબાદ અરજદારને ફ્રેન્કિંગ કરાવવા માટે ત્યાંથી કલેક્ટર કચેરીએ લાઈનમાં ઉભું રહેવું પડે છે. ફ્રેન્કિંગ કરાયા બાદ ફરીથી સરકારી ચાવડીમાં આવકના દાખલા માટે અધૂરી પ્રક્રિયા પૂર્ણ કરવવા માટે લાઈનમાં ઉભું રહેવું પડે છે. આમ એક જ કામગીરી માટે અલગ અલગ જગ્યાએ લાઈનમાં ઉભું રહેવું પડતું હોવાને કારણે હેરાનગતિનો સામનો સિનિયર સીટીઝન ને કરવો પડી રહ્યો છે. જેનું વહેલીતકે નિવારણ આવે તેવી માંગ સિનિયર સીટીઝન કરી રહ્યા છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">