AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં BRTS કોરિડોરમાં AMTS અને STની બસ માટે નો-એન્ટ્રી, જાણો શા માટે કરાયો પ્રતિબંધ

અમદાવાદમાં BRTS કોરિડોરમાં AMTS અને એસટીની બસ દોડશે નહીં. જે અંગે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ટ્રાન્સપોર્ટ મેનેજરને આદેશ પણ આપી દીધા છે. વિજય નહેરાનું કહેવું છે કે, BRTS કોરિડોરમાં એક વર્ષમાં અકસ્માતના કારણે 24 લોકોના મોત થયા છે. તેમાંથી માત્ર 4 લોકોના મોત BRTSના કારણે થયા છે. બાકી 20 મોત તો AMTS અને એસટી બસની […]

અમદાવાદમાં BRTS કોરિડોરમાં AMTS અને STની બસ માટે નો-એન્ટ્રી, જાણો શા માટે કરાયો પ્રતિબંધ
| Updated on: Dec 07, 2019 | 2:14 PM
Share

અમદાવાદમાં BRTS કોરિડોરમાં AMTS અને એસટીની બસ દોડશે નહીં. જે અંગે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ટ્રાન્સપોર્ટ મેનેજરને આદેશ પણ આપી દીધા છે. વિજય નહેરાનું કહેવું છે કે, BRTS કોરિડોરમાં એક વર્ષમાં અકસ્માતના કારણે 24 લોકોના મોત થયા છે. તેમાંથી માત્ર 4 લોકોના મોત BRTSના કારણે થયા છે.

બાકી 20 મોત તો AMTS અને એસટી બસની ટક્કર વાગતા થયા છે. છતાં અકસ્માતમાં BRTS જ બદનામ થાય છે. જેના કારણે તંત્રએ હવે BRTS કોરિડોરમાં AMTS અને એસટી બસ નહીં દોડાવવા આદેશ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ડિસેમ્બર 2014થી તબક્કાવાર AMTSના 41 રૂટની 321 બસો BRTS કોરિડોરમાં દોડતી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરના લીંબડી રોડ પર પોલીસ અને લૂંટારૂઓ વચ્ચે અથડામણના ફિલ્મી દુશ્યો સર્જાયા

તો અમદાવાદીઓ આ નિર્ણયથી નારાજ છે. કારણ કે, જો AMTS અને એસટી બસો સામાન્ય રોડ પર દોડશે તો ટ્રાફિકજામ સર્જાશે. કારણ કે, BRTS કોરિડોરના કારણે રસ્તાઓ નાના થઇ ગયા છે. અને તેમાં પણ આ નાના રસ્તાઓ પર AMTS અને એસટી બસ દોડશે તો મુશ્કેલી થશે. હવે નજર કરીએ કે, કયા કયા વિસ્તારમાં ટ્રાફિકજામ થશે. સૌથી વધુ આનંદનગરથી ગોધાવી, સારંગપુરથી જોધપુર ગામ, ઘુમાથી મણિનગર, લાલદરવાજાથી સાણંદ રૂટ પર ટ્રાફિકની સમસ્યા થશે. આ સિવાય ઇસ્કોનથી હાટકેશ્વર અને ઇસ્કોનથી વિવેકાનંદનગર વિસ્તારમાં પણ ટ્રાફિક જામ થશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">