અમદાવાદ બન્યું કોરોનાનું એપીસેન્ટર, કોરોનાનો આંક પાંચસોને પાર
ગુજરાતમાં Corona ના કેસ વધતાની સાથે જ અમદાવાદ શહેર ફરી એકવાર કોરોનાનું એપીસેન્ટર બની ગયું છે . જેમાં આજે રાજ્યમાં નોંધાયેલા 1730 કેસમાંથી જેમાં અમદાવાદમાં નવા 502 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં Corona ના કેસ વધતાની સાથે જ અમદાવાદ શહેર ફરી એકવાર કોરોનાનું એપીસેન્ટર બની ગયું છે . જેમાં આજે રાજ્યમાં નોંધાયેલા 1730 કેસમાંથી જેમાં અમદાવાદમાં નવા 502 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 476 અને જિલ્લામાં 101 કેસ નોંધાયા છે. આમ અમદાવાદ કોર્પોરેશનમાં સુરત કોર્પોરેશન કરતાં પણ વધારે કેસ નોંધાયા છે. જે શહેરમાં ફેલાયેલા Corona કેસની ભયાનકતા દર્શાવે છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં આજે કોરોનાના લીધે બે લોકોનાં મોત થયાં છે.
માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનનો આંકડો 197 પર પહોંચ્યો
અમદાવાદ શહેરમાં કોરોના લીધે માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામા પણ વધારો થયો છે. જેમાં મંગળવારે શહેરના 175 માઇક્રો ઝોન માંથી 5 વિસ્તાર દૂર કરાયા છે. જયારે વધુ 27 વિસ્તારનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેના લીધે શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનનો આંકડો 197 પર પહોંચ્યો છે. જોવા જઇએ તો શહેરમાં ચૂંટણી બાદ માઈક્રો કન્ટેઇનમેન્ટમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં આજે ઉમરાયેલા વિસ્તારની વાત કરીએ તો નવા વિસ્તારમાં લાંભા, મણિનગર, બોડકદેવ, થલતેજ અને ચાંદલોડીયામાં સૌથી વધુ મકાન અને લોકોનો સમાવેશ થયો છે.
અમદાવાદ -સુરતમાં સ્થિતિ બેકાબૂ
રાજ્યમાં આજે મહાનગરોમાં નવા નોંધાયેલાCoronaના કેસોની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 502 કેસ નોંધાયા છે અને સુરતમાં 476 કેસ નોંધાયા છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બનતી જઈ રહી છે. રાજ્યમાં આજે નવા નોંધાયેલા કુલ કેસોના 50 ટકા કેસ માત્ર અમદાવાદ અને સુરતમાં જ સામે આવ્યા છે.
સુરત, અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યૂ અમલી
ગુજરાતમાં સતત વધી રહેલા Coronaના કેસના પગલે કોરોના એપીસેન્ટર સુરત, અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યૂની મુદત વધારી દેવામાં આવી છે. જેમાં અમદાવાદ, સુરત અને વડોદરામાં રાત્રિ કર્ફ્યૂની મુદત રાત્રે 9થી સવારના 6 વાગે સુધી રહેશે. આ ઉપરાંત અમદાવાદ અને સુરતમાં સપ્તાહના અંતમાં શનિ અને રવિવારના રોજ મોલ તથા સિનેમા ઘરોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક 1730 કેસ
ગુજરાતમાં Corona ના કેસ સતત વધી રહ્યા છે. જેમાં મંગળવારે કોરોનાના રેકોર્ડબ્રેક 1730 કેસ નોંધાયા છે. તેમજ ચાર લોકોનાં મોત થયા છે. જેમાં અમદાવાદમાં નવા 502 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 476 અને જિલ્લામાં 101 કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરામાં કોરોનાના 162 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં 130 કેસ નોંધાયા છે. જ્યારે ખેડામાં 24 અને શહેરમાં 23 કેસ નોંધાયા છે. તેમજ આ ઉપરાંત રાજ્યના અનેક જિલ્લાઓમાં પણ કોરોનાના કેસ ધીરે ધીરે વધી રહ્યાં છે.