Ahmedabad: વધતા કોરોના સંક્રમણ વચ્ચે બેડ વધારવા માંગ ઉઠી તો લોકો પણ સ્વયંભૂ બંધના માર્ગે વળ્યા

ગુજરાત અને અમદાવાદમાં કોરોના જાણે ઈન્ટરનેટની ગતિની જેમ આગળ વધી રહ્યો હોય તેમ દિવસેને દિવસે કેસ સતત વધી રહ્યા છે. જેની સામે રાજ્ય અને શહેરમાં હોસ્પિટલમાં બેડ ઓછા પડી રહ્યા છે.

Ahmedabad: વધતા કોરોના સંક્રમણ વચ્ચે બેડ વધારવા માંગ ઉઠી તો લોકો પણ સ્વયંભૂ બંધના માર્ગે વળ્યા
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Apr 19, 2021 | 11:06 PM

ગુજરાત અને અમદાવાદમાં કોરોના જાણે ઈન્ટરનેટની ગતિની જેમ આગળ વધી રહ્યો હોય તેમ દિવસેને દિવસે કેસ સતત વધી રહ્યા છે. જેની સામે રાજ્ય અને શહેરમાં હોસ્પિટલમાં બેડ ઓછા પડી રહ્યા છે. જે પરિસ્થિતિ વચ્ચે શહેરમાં લોકોએ બેડ વધારવા અને બંધ પડેલ હોસ્પિટલ શરૂ કરવા તેમજ ઈમારતોમાં બેડ ઉભા કરી કોરોના દર્દીઓને સારવાર આપવા માંગ ઉઠી છે. વધતા કોરોના કેસ સામે બેડ ઓછા પડી રહ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં બેડ ફૂલની સ્થિતિ છે. ત્યારે હોસ્પિટલ ફૂલ થતાં ખાડીયાના રહીશોની માંગ ઉઠી છે કે ખાડીયામાં કાપડીવાડ વિસ્તારમાં આવેલ મીની સિવિલ કોરોના સારવાર માટે શરૂ કરવામાં આવે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

વર્ષોથી કાર્યરત ઈમારતને 2000ના વર્ષમાં અશોક ભટ્ટ દ્વારા મીની સિવિલ તરીકે શરૂ કરાઈ હતી. જે હોસ્પિટલને 2019માં જર્જરિત બતાવી બંધ કરી દેવાઈ હતી. જોકે ખાડીયાના સ્થાનિકોની માંગ ઉઠી છે કે તે જ ઈમારત રીનોવેશન કરીને કોરોનાના દર્દી માટે ઉપયોગમાં લઈ શકાય છે. જ્યાં રીનોવેશન કરીને 100 બેડ ઉભા કરી શકાય છે તેવું સ્થાનિકોનું જણાવવું છે. જેમ કરવાથી હોસ્પિટલનું ભારણ ઓછું કરી શકાય તેમજ કોરોના દર્દીને જલ્દી સારવાર પણ આપી શકાય. જે માટે સરકારની ટીમે બિલ્ડીંગનું ઈન્સ્પેકશન કરી તેમજ તમામ પ્રકારની ખરાઈ કરી કામગીરી કરવી જરૂરી છે. જેથી ભવિષ્યમાં હોસ્પિટલ શરૂ થાય તો કોઈ દુર્ઘટના ન સર્જાય.

ત્યારે બીજી તરફ વધતા કોરોના કેસને લઈને પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે કાલુપુર રેલવે સ્ટેશન સામે આવેલ વિક્ટોરિયા જ્યુબિલી હોસ્પિટલમાં 100 બેડ ઉભા કરવામાં આવે. જેથી હાલમાં હોસ્પિટલમાં બેડ ફૂલ છે, ત્યારે વધુ બેડ ઉભા કરી દર્દીઓની હાલાકી દૂર કરી શકાય. જેનાથી બેડ ઉભા થાય તો દર્દીને ઝડપી સારવાર મળી રહે તેવું પૂર્વ ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટર અને રહીશોનું પણ માનવું છે. જે રજુઆત સાથે જ કાલુપુર વિક્ટોરિયા જ્યુબિલી હોસ્પિટલ કમ્પાઉન્ડમાં 25 જેટલા બેડ ઉભા કરાયા તો વધુ બેડ ઉભા કરવાની પણ તૈયારી બતાવી. હાલમાં ઉભા કરવામાં આવેલ બેડને આઈસોલેટ તરીકે ઉપયોગ કરવામાં આવશે.

બેડ ઉભા કરવા સાથે ટીમ પણ તૈનાત કરાઈ છે અને હવે માત્ર ઈન્સ્પેકશન અને અધિકારીની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. જેથી મંજૂરી મળતા 25 બેડનો તવરીત ઉપયોગ શરૂ કરી દર્દીઓને સારવાર આપી શકાય. બીજી તરફ લોકોએ વધતા કોરોના કેસ સામે શહેરીજનોનો સ્વયંભૂ પ્રયાસ હાથ ધરી સ્વૈચ્છીક બંધ અને સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યા છે. જેમાં વસ્ત્રાપુરમાં 30 એપ્રિલ સુધી બપોરે 2 વાગ્યા બાદ દુકાનો બંધ રહેશે. વસ્ત્રાપુર વેપારી એસોસિએશન દ્વારા જાહેરાત કરાઈ છે.

તેમજ ચાંદલોડિયામાં બપોરે 2 પછી બંધની તૈયારી ચાલુ છે. સાબરમતી, રાણીપ અને ન્યૂ રાણીપમાં બપોરે 2 પછી સ્વયંભૂ બંધ પાડવામાં આવે છે. સરદારનગર અને કુબેરનગરમાં 4 પછી બંધ તેમજ બુધવારથી નરોડા પાટિયાથી કુબેરનગર સુધી દુકાનો બંધ રહેશે તો નરોડામાં વિકેન્ડ લોકડાઉન પણ લોકો તરફથી જાહેર કરાયો છે. વટવાવાસીઓએ 21 એપ્રિલથી 30 એપ્રિલ સુધી સ્વયંભૂ બંધનો નિર્ણય કર્યો છે. જેમાં સવારે 8થી બપોરે 2 સુધી બજાર ચાલુ રહેશે. 2 વાગ્યા બાદ સ્વયંભૂ બંધની જાહેરાત કરાઈ છે. જે કોરોના સંક્રમણ ઘટાડવાના પ્રયાસ હેઠળ નિર્ણય લેવાયા છે.

ખાનગી ઓફિસોમાં AMCની તવાઈ

વધતા કોરોના કેસને લઈને ખાનગી ઓફિસમાં 50 ટકા સ્ટાફ સાથે કામ લેવા નિર્ણય કરાયો હતો. જે કોવિડ 19ની ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહીં તે જાણવા અંગે આજે AMCએ તવાઈ બોલાવી હતી. AMCની ટીમે 427 જેટલા સ્થળે તપાસ કરી. જેમાં 5 સ્થળે 50 ટકા ઉપર સ્ટાફ કામ કરતો હોવાથી કાર્યવાહી કરી, તે પાંચે પ્રોપર્ટી સીલ કરવામાં આવી હતી.

આ 5 એકમ સીલ કરાયા

1. મકરબામાં આવેલ ગેપ્લોપ્સ ઓટોહબ

2. એસ જી હાઈવે પર આવેલ મેસર્સ સી એન્ડ એસ

3. થલતેજમાં આવેલ એક્સીસ બેન્ક

4. નિકોલમાં રિદ્ધિ કોમ સર્વિસીસ, સરદાર પટેલ મોલ

5. વસ્ત્રાલમાં આવેલ કૃષ્ણા ડાયમંડ, જડેશ્વર કોમ્પ્લેક્ષ

માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સતત ફેરફાર

કોરોનાના વધતા કેસ સાથે આજે પણ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં ફેરફાર જોવા મળ્યા હતા. 435 વિસ્તારમાંથી 33 વિસ્તાર દૂર કરાયા. જ્યારે વધુ 17 સોસાયટી અને એપાર્ટમેન્ટનો ઉમેરો થયો અને હવે માઈક્રો કન્ટેઇનમેન્ટનો આંકડો 419 પર પહોંચ્યો છે. નવા વિસ્તારમાં જોધપુર, બોડકદેવ, વાડજ, ન્યુ રાણીપ અને નવરંગપુરાના સૌથી વધુ મકાન અને લોકોનો સમાવેશ થાય છે. જેમાં બોડકદેવમાં પૂરું સેન્ચ્યુરી ટાવર માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયો.

આ પણ વાંચો: Ahmedabad: સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના સ્વજનોની સુવિધા માટે કંટ્રોલ રુમ અને હેલ્પડેસ્ક કાર્યરત 

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">