Ahmedabad : પેટ્રોલ-ડીઝલની સાથે શાકભાજીના ભાવએ પણ સદી વટાવી, ગૃહિણીઓને શાકભાજી રડાવે છે

સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષીણ ગુજરાતમાં વરસાદના કારણે શાકભાજીના પાકને મોટા પાયે નુકશાન થયું છે. તો પર પ્રાંતમાં વધુ વરસાદ અને શાકભાજીમાં આવક ઘટતા પણ અસર પડી છે. જેમાં 60 ટકા ઉપર શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો.

Ahmedabad : પેટ્રોલ-ડીઝલની સાથે શાકભાજીના ભાવએ પણ સદી વટાવી, ગૃહિણીઓને શાકભાજી રડાવે છે
Ahmedabad: Along with petrol-diesel, vegetable prices have crossed the century, making housewives cry over vegetables.
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Oct 14, 2021 | 12:38 PM

એક તરફ લોકોને પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવ રડાવી રહ્યા છે. કેમ કે તેની સીધી રીતે ઈમ્પોર્ટ એક્સપોર્ટ પર અસર પડી છે. જેના કારણે ભાવ વધ્યો હતો. ત્યાં બીજી તરફ શાકભાજીના ભાવમાં વધારો થતાં લોકોની થાળીમાંથી શાકભાજી ઓછી થવા લાગી છે. અને તેનું કારણ છે પેટ્રોલ ડીઝલ ની સાથે શાકભાજીએ પણ ભાવમાં સદી વટાવી છે.

જે શાકભાજી થોડા દિવસો પહેલા 50 રૂપિયા આસપાસ કિલો મળતા હતા. તે જ શાકભાજી હાલમાં 100 થી 150 રૂપિયે કિલો મળી રહી છે. જેના કારણે ગૃહિણીઓ સાથે તેમનું બજેટ ખોરવાયું છે. કેમ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા લોકોએ ખર્ચમાં કાપ મુક્યો અને તેવા એકાએક શાકભાજીનો ભાવ વધતા ખર્ચ સાથે શરીરને પ્રોટીન આપતા શાકભાજી ખાવામાં પણ કાપ મુકવાનો લોકોને વારો આવ્યો છે.

વેપારીઓના મત પ્રમાણે વધુ પડતા વરસાદના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થતા ભાવ વધ્યા છે. જેમાં હાલમાં ગવાર, ચોળી, ભીંડા, ગવાર, કોથમીર, તુવેર, વટાણા પાકના ભાવ 100 થી 150 રૂપિયા હોલસેલમાં પહોંચ્યો છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષીણ ગુજરાતમાં વરસાદના કારણે શાકભાજીના પાકને મોટા પાયે નુકશાન થયું છે. તો પર પ્રાંતમાં વધુ વરસાદ અને શાકભાજીમાં આવક ઘટતા પણ અસર પડી છે. જેમાં 60 ટકા ઉપર શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો. તો શાકભાજીના પાકને 50 થી 60 ટકા નુકશાન થયાનું પણ વેપારીનું નિવેદન છે.

મહત્વનું છે કે ચોમાસાની શાકભાજીના સમયે પુષ્કળ વરસાદ પડતાં પાકને નુકશાન થતા ભાવ વધ્યો છે. જે ભાવ વરસાદ ઘટે અથવા નવો પાક આવે ત્યારે ભાવ ઘટવાની વેપારી શક્યતાઓ શેવી રહ્યા છે. અને તેમાં દિવાળી સુધી ભાવ ઘટવાની શકયતા વેપારીઓ નહિવત માની રહ્યા છે. કેમ કે દિવાળી બાદ નવો પાક આવતો હોય છે અને ત્યારે જ ભાવ ઘટતો હોય છે.

ભાવ વધવાના કારણે ગૃહિણીઓ ના બજેટ પર અસર પડી છે. જેમાં પહેલા કરતા લોકો ઓછી શાકભાજી લઈ રહ્યા છે. તો શાકભાજીના ભાવ વધતા લોકો એ કઠોળ ખાવા પસંદ કરતા હોવાનું પણ જણાવ્યું. સાથે જ શાકભાજીને લઈને સરકારને ધ્યાન આપવા અને ભાવ ઘટાડવા ગૃહિણીએ માંગ કરી છે.

શાકભાજીના હોલસેલમાં કિલોના ભાવ (હાલના) ગિલોડા 75 થી 90 કોથમીર 50 મરચાં 20 રીંગણ 20 થી 25 દૂધી 20 થી 25 ફુલાવર 25 થી 30 કોબીજ 12 થી 15 તુવેર 80 થી 90 વટાણા 120 થી 140

Latest News Updates

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">