ગુજસીટોક કાયદાના અમલીકરણ બાદ પ્રથમ ગુનો અમદાવાદના મેઘાણીનગરના ખંડણીખોર સામે નોંધાયો
ગુજસીટોક કાયદો અમલમાં આવ્યા બાદ પહેલીવાર આ કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામી ગેંગના ચાર શખ્સની મેઘાણીનગરમાંથી ધરપકડ કરી ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓ પાસેથી મોટીમાત્રામાં હથિયારો મળી આવ્યા છે. આ પણ વાંચોઃ રાજ્યમાં આજથી ફાસ્ટેગનો અમલ, ફાસ્ટેગ વગરના વાહન ચાલકને ચૂકવવો […]
ગુજસીટોક કાયદો અમલમાં આવ્યા બાદ પહેલીવાર આ કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામી ગેંગના ચાર શખ્સની મેઘાણીનગરમાંથી ધરપકડ કરી ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓ પાસેથી મોટીમાત્રામાં હથિયારો મળી આવ્યા છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં આજથી ફાસ્ટેગનો અમલ, ફાસ્ટેગ વગરના વાહન ચાલકને ચૂકવવો પડશે આટલો ટોલ
નોંધનીય છેકે, શહેરમાં ખંડણીખોર વિશાલ ગોસ્વામી ગેંગ ફરી સક્રિય થઇ છે. ગોસ્વામી ગેંગ દ્વારા શહેરના મોટા વેપારીઓને ધમકી ભર્યા ફોન કરવામાં આવી રહ્યાં છે અને ખંડણી માગવામાં આવી રહી છે. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો