અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ગત વર્ષ કરતા 4 ગણા ચિકનગુનિયાના કેસ વધ્યાં
મહામારી વચ્ચે અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચક્યું છે. અને ચિકનગુનીયાના રોગે ભરડો લીધો છે. ગત વર્ષની સરખામણીએ અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો 4 ગણો વધ્યો હોવાનું આંકડા દ્વારા માલુમ પડી રહ્યું છે. ગત વર્ષે શહેરમાં ચિકનગુનીયાના 183 કેસ નોંધાયા હતા. ત્યારે ચાલુ વર્ષે આ કેસનો આંક 550 પર પહોંચ્યો છે. જોકે રાહતની વાત એ છે કે મેલેરિયા […]
મહામારી વચ્ચે અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચક્યું છે. અને ચિકનગુનીયાના રોગે ભરડો લીધો છે. ગત વર્ષની સરખામણીએ અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો 4 ગણો વધ્યો હોવાનું આંકડા દ્વારા માલુમ પડી રહ્યું છે. ગત વર્ષે શહેરમાં ચિકનગુનીયાના 183 કેસ નોંધાયા હતા. ત્યારે ચાલુ વર્ષે આ કેસનો આંક 550 પર પહોંચ્યો છે. જોકે રાહતની વાત એ છે કે મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જોકે મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચકતા જ આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે અને વિવિધ ઝોનમાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. શહેરમાં રોગચાળો અટકાવવા તળાવોની સફાઇ, ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં સફાઇ, ફોગિંગ અને દવાના છંટકાવની કામગીરી શરૂ કરાઇ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો