અમદાવાદમાં કોરોનાનો મૃત્યુઆંક છુપાવવાનો વધુ એક કારસો સામે આવ્યો છે. કોરોનાને કારણે મોત છતાં અન્ય બિમારીથી મોતનું કારણ અપાતું હોવાનો આક્ષેપ થયો છે. કોરોના પોઝિટિવ દર્દીનું મોત છતાં મૃત્યુના કારણમાં અન્ય બિમારીનું કારણ અપાય છે. તંત્રની આશંકિત કામગીરી સામે મૃતકના સ્વજનોમાં આક્રોશ છવાયો છે. આ મામલે વીએસના સ્મશાનમાં મૃતકોના સગાઓએ હોબાળો મચાવ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો