અમદાવાદઃ AMCની દક્ષિણ ઝોન કચેરીના અધિકારીઓના વેરહાઉસમાં દરોડા, અનેક પ્રકારના કેમિકલ અને પાવડરનો વિશાળ જથ્થો મળી આવ્યો
ઘોડા છૂટી ગયા બાદ તબેલે તાળા મારવા. કઇંક આવો જ ઘાટ સર્જાયો છે AMCની કાર્યવાહીને લઇને. 12 નિર્દોષ લોકોની બલી ચઢ્યા બાદ AMCની દક્ષિણ ઝોન કચેરીના અધિકારીઓએ વેરહાઉસમાં દરોડા પાડ્યા અને 6 એકમોને સીલ કર્યા. દરોડાની કાર્યવાહીમાં અનેક પ્રકારના કેમિલક તથા પાવડરનો જથ્થો મળ્યો. જેમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ, પોડેશિયમ, સોડિયમ હેક્સામેટ નામના કેમિકલનો સમાવેશ થાય છે. […]
ઘોડા છૂટી ગયા બાદ તબેલે તાળા મારવા. કઇંક આવો જ ઘાટ સર્જાયો છે AMCની કાર્યવાહીને લઇને. 12 નિર્દોષ લોકોની બલી ચઢ્યા બાદ AMCની દક્ષિણ ઝોન કચેરીના અધિકારીઓએ વેરહાઉસમાં દરોડા પાડ્યા અને 6 એકમોને સીલ કર્યા. દરોડાની કાર્યવાહીમાં અનેક પ્રકારના કેમિલક તથા પાવડરનો જથ્થો મળ્યો. જેમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ, પોડેશિયમ, સોડિયમ હેક્સામેટ નામના કેમિકલનો સમાવેશ થાય છે. જોકે અધિકારીઓની પ્રાથમિક તપાસમાં આવા કેમિકલ રાખવા માટે વેરહાઉસના માલિકો દ્વારા તંત્રની કોઇ જ મંજૂરી ન લીધી હોવાનું સામે આવ્યું હતું, તો રાણીપુર પાટીયા નજીક પણ કાર્યવાહી કરવામાં આવી. કાર્યવાહીના ભાગરૂપે કુલ 6 જેટલા એકમોને સીલ કરી દેવાયા છે. જોકે અહીં સવાલ એ સર્જાય છે કે શહેરમાં ગેરકાયદે 17 હજાર એકમો ધમધમી રહ્યા છે, તો માત્ર 6 એકમો સામે જ કાર્યવાહી કેમ? શું અન્ય એકમો વિરૂદ્ધ AMCનું તંત્ર કાર્યવાહી કરશે?
આ પણ વાંચો: હજીરા-ઘોઘા રો-રો ફેરી સર્વિસમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા, ફેરીના ટ્રાયલ દરમિયાન જહાજ અધવચ્ચે જ બંધ પડ્યું
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો