18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અધિક માસ. જાણો શુભ મહુર્ત અને યોગ.
18 સપ્ટેમ્બરના રોજથી અધિકમાસ શરૂ થઈ રહ્યો છે. આ મહિનો ભક્તિની સાથે વૈભવ વધારવા માટે પણ શુભ માનવામાં આવે છે. આ મહિનો 16 ઓક્ટોબર સુધી રહેશે. આ મહિનામાં ઘણા શુભ યોગ અને મુહૂર્ત એવા છે જેમાં ખરીદી અથવા તો કોઈ વિશેષ કાર્ય પણ થઈ શકે છે. આ મહિનામાં ખરીદી જેવી વસ્તુ પર કોઈ પાબંધી નથી. […]
18 સપ્ટેમ્બરના રોજથી અધિકમાસ શરૂ થઈ રહ્યો છે. આ મહિનો ભક્તિની સાથે વૈભવ વધારવા માટે પણ શુભ માનવામાં આવે છે. આ મહિનો 16 ઓક્ટોબર સુધી રહેશે. આ મહિનામાં ઘણા શુભ યોગ અને મુહૂર્ત એવા છે જેમાં ખરીદી અથવા તો કોઈ વિશેષ કાર્ય પણ થઈ શકે છે. આ મહિનામાં ખરીદી જેવી વસ્તુ પર કોઈ પાબંધી નથી. માટે આ મહિનામાં જ્વેલરી, કપડા, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ વગેરે ખરીદી શકાય છે.
જ્યોતિષો અનુસાર, અધિકમાસમાં વિવાહ, યજ્ઞોપવિત (જનોઇ), ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા વગેરે જેવા શુભ કાર્યને નિષેધ માનવામાં આવે છે. પરંતુ કોઈ જરૂરી આધુનિક સુખ સુવિધાના સામાનની ખરીદી અથવા બુકિંગ કરવુ હોય તો તે કરી શકાય છે. આ મહિનામાં લગ્નનું નક્કી કરવું, સગાઈ કરવી, કોઈ જમીન, મકાન, ભૂમિ વગેરેની ખરીદી કરી શકાય છે. કોઈ પણ ધાર્મિક યાત્રા અથવા અન્ય જરૂરી યાત્રા પણ કરી શકાય છે. વ્યાપાર માટે ભવિષ્યનો નિર્ણય કરી શકો છો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જાણો કઇ તારીખે કયા છે યોગ ?
ચલ મુહૂર્ત-: 20,27,28,29 સપ્ટેમ્બર, 10 ઓક્ટોબર અને મહિનાના બીજા સોમવારના રોજ કાર, બાઇક સહિત અન્ય વાહન ખરીદવા કે બુક કરવા માટે શુભ છે.
ઉગ્ર ક્રૂર મુહૂર્ત- : 25,30 સપ્ટેમ્બર, 5,13,14 ઓક્ટોબર અને મંગળવારના રોજ શસ્ત્ર ખરીદવા અને બુકિંગ કરી શકામિશ્ર-સાધારણ મુહૂર્ત-: 21 સપ્ટેમ્બર, 6 ઓક્ટોબર અને બુધવારના રોજ મગંળ કાર્ય કરવા હેતુ ગાર્ડન, ધર્મશાળાની બુકિંગ અથવા નવા વ્યાપારિક વ્યવહાર કરી શકાય છે.
ક્ષિપ્ર લઘુ મુહૂર્ત-: 19 સપ્ટેમ્બર, 4,11 ઓક્ટોબર અથવા સમસ્ત ગુરુવારના રોજ વાહન ખરીદવાનું બુકિંગ કરી શકાય છે.
મૃદુ મૈત્ર મુહૂર્ત-: 19, 22 સપ્ટેમ્બર, 2,3,8 ઓક્ટોબરના રોજ નવા સંબંધમાં આગળ વધી શકો છો.
અધિકમાસમાં આવનારા શુભ યોગ જેમાં કરી શકાય છે ખરીદી :
સર્વાર્થસિદ્ધિ યોગ- આ યોગ બધી મનોકામના પૂર્ણ કરનારો અને દરેક કામમાં સફળતા અપવાનાર હોય છે. અધિકમાસમાં 9 દિવસ એટલે કે 26 સપ્ટેમ્બર, 1, 4, 6, 7, 9, 11, 17 ઓક્ટોબર 2020 નો આ યોગ છે.
દેવિપુષ્કર યોગ-: આ યોગને જ્યોતિષ ખુબ જ ખાસ માને છે. આ યોગમાં કોઈ પણ કાર્યનું બે ગણુ ફળ મળે, તેવી માન્યતા છે. 19 તથા 27 સપ્ટેમ્બરના રોજ દેવિપુષ્કર યોગ છે.
અમૃતસિદ્ધિ યોગ-: અમૃતસિદ્ધિ યોગ વિશે જ્યોતિષ ગ્રંથોની માન્યતા છે કે, આ યોગમાં ઘણા કામોમાં શુભ ફળ દીર્ઘકાલીન હોય છે. 2 ઓક્ટોબર 2020ના રોજ અમૃત સિદ્ધિ યોગ છે.
પુષ્ય નક્ષત્ર-: અધિકમાસમાં બે દિવસ પુષ્ય નક્ષત્ર હોય છે. 10 ઓક્ટોબર રવિ પુષ્ય અને 11 ઓક્ટોબરના રોજ સોમ પુષ્ય નક્ષત્ર રહેશે. આ એવી તારીખો છે જેમાં કોઈ આવશ્યક અથવા શુભ કાર્ય કરી શકાય છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો