Ahmedabad: શહેરમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત, ઈન્જેક્શન ન મળતા હોવાનો AHNAનો આક્ષેપ

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં રેમડેસિવિર ઈન્જેક્શન (Remdesivir Injections)ની અછત વર્તાઈ રહી છે.

| Updated on: Apr 30, 2021 | 5:56 PM

અમદાવાદ (Ahmedabad) શહેર સહિત રાજ્યમાં કોરોના વાઈરસ (Corona Virus)ના કારણે સ્થિતિ ખુબ ગંભીર છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં રેમડેસિવિર ઈન્જેક્શન (Remdesivir Injections)ની અછત વર્તાઈ રહી છે.

 

 

પૂરતા પ્રમાણમાં રેમડેસિવિર ઈન્જેક્શન પહોંચી રહ્યા નથી. રેમડેસિવિર ઈન્જેક્શનની રોજ 10 હજાર ઉપરની જરૂરિયાત હોય છે. ત્યારે AMC પાસે અંદાજે 5 હજારનો જ સ્ટોક પહોંચે છે. ઈન્જેક્શનની માંગ સામે 25 ટકા જેટલા જ ઈન્જેક્શન મળી રહ્યા છે. ખાનગી હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેક્શન પુરતા પ્રમાણમાં નહીં પહોંચતા હોવાનો AHNA દ્વારા આક્ષેપ કરાયો છે. ત્યારે AHNA દ્વારા AMC તરફથી પૂરતો જથ્થો પહોંચાડવામાં આવે તેવી માંગ ઉઠી છે.

 

હળવા Coronaના લક્ષણો ધરાવતા દર્દીઓ માટે સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન

1. ક્રોસ વેન્ટિલેશન રાખો અને રૂમની બારી ખુલ્લી રાખો.

2. દર્દીએ હંમેશાં ટ્રિપલ લેયર માસ્ક પહેરવો જોઈએ.

3. દર 8 કલાકમાં દર્દીનું માસ્ક બદલવું ફરજિયાત છે.

4. દર્દીને એક રૂમમાં રહેવું પડશે.

5. આખા ઘરમાં ફરવા પર પ્રતિબંધ હશે.

6. દર્દીએ ઘરના બાકીના સભ્યોથી યોગ્ય અંતર બનાવવું પડશે.

7. વૃદ્ધ અને માંદા વ્યક્તિઓની મુલાકાત લેવા પર પ્રતિબંધો.

8 દર્દીને દિવસમાં બે વખત નવશેકું પાણીથી કોગળા અને નાસ લેવાની સલાહ આપવામાં આવી છે.

9 પ્રવાહી આહાર અને આરામ કરવો જરૂરી છે.

10. ઘરના એકલામાં રહેતા દર્દીઓને શક્ય તેટલું પ્રવાહી આહારમાં શામેલ કરવું પડશે.

11. હોમ આઈસોલેશનમાં રહેનાર વ્યક્તિને વધુમાં વધુ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.

12. લોહીના ઓક્સિજન સિચ્યુએશનને મોનિટર કરવા માટે ઓક્સિમીટરનો ઉપયોગ કરવો ફરજિયાત છે.

13. આ સાથે દરરોજ 4 કલાક તાપમાન માપવું જરૂરી છે.

 

આ પણ વાંચો: Shooter Dadi ચંદ્રા તોમરે દુનિયાને કહ્યું અલવિદા, મેરઠ મેડિકલ કોલેજમાં ચાલી રહી હતી સારવાર

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">