જૂનાગઢના વંથલીના ધણફુલિયા ગામમાં સિંહના હુમલામાં એક સગીરાનું મોત
જૂનાગઢના વંથલીના ધણફુલિયા ગામે સિંહે માણસ પર હુમલો કર્યો છે. સિંહના હુમલામાં 14 વર્ષીય સગીરાનું મોત થયું છે. વાડી વિસ્તારમાં રહેતા પરિવારની બે પુત્રી રાત્રિ દરમિયાન બહાર જતા ખેતરમાં આ ઘટના બની હતી. બે બહેન પૈકી એકનો સિંહે શિકાર કર્યો, બીજી બાળકીએ પાણીના ટાંકામાં ઝંપલાવ્યું હતું. વંથલી પંથકમાં 6 મહિનાથી સિંહ પરિવારે ધામા નાંખ્યા છે. […]
જૂનાગઢના વંથલીના ધણફુલિયા ગામે સિંહે માણસ પર હુમલો કર્યો છે. સિંહના હુમલામાં 14 વર્ષીય સગીરાનું મોત થયું છે. વાડી વિસ્તારમાં રહેતા પરિવારની બે પુત્રી રાત્રિ દરમિયાન બહાર જતા ખેતરમાં આ ઘટના બની હતી. બે બહેન પૈકી એકનો સિંહે શિકાર કર્યો, બીજી બાળકીએ પાણીના ટાંકામાં ઝંપલાવ્યું હતું. વંથલી પંથકમાં 6 મહિનાથી સિંહ પરિવારે ધામા નાંખ્યા છે. આ વિસ્તારમાં અનેક મારણ બાદ માનવી પર હુમલાને પગલે ભયનો માહોલ છે.