કેમ્પ હનુમાન મંદિર ખોલવા આર્મીના અધિકારીઓ સાથે મંદિરના ટ્ર્સ્ટીઓની આજે બેઠક, મંદિર ખોલવા અંગે બન્નેના એકબીજા પર દોષારોપણ
ચેરીટી કમિશનરે કેમ્પ હનુમાન મંદિર ભક્તો માટે ખોલવા આપેલા આદેશ બાદ પણ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલાયા નથી. આ સંજોગોમાં કેમ્પ હનુમાન મંદિરના ટ્ર્સ્ટીઓ અને આર્મીના અધિકારીઓ વચ્ચે આજે બેઠક યોજાશે. જેમાં પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં કોરોનાકાળમાં લગાવેલા લોકડાઉનથી લઈને આજદીન સુધી મંદિરના દરવાજા ભક્તો માટે બંધ કરી દેવાયા છે. મંદિરના દરવાજા […]
ચેરીટી કમિશનરે કેમ્પ હનુમાન મંદિર ભક્તો માટે ખોલવા આપેલા આદેશ બાદ પણ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલાયા નથી. આ સંજોગોમાં કેમ્પ હનુમાન મંદિરના ટ્ર્સ્ટીઓ અને આર્મીના અધિકારીઓ વચ્ચે આજે બેઠક યોજાશે. જેમાં પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં કોરોનાકાળમાં લગાવેલા લોકડાઉનથી લઈને આજદીન સુધી મંદિરના દરવાજા ભક્તો માટે બંધ કરી દેવાયા છે.
મંદિરના દરવાજા હજુ સુધી બંધ રહેવા અંગે આર્મી અને ટ્રસ્ટીઓ એકબીજા ઉપર દોષારોપણ કરી રહ્યાં છે. આજે પણ કેમ્પ હનુમાનમંદિરના ટ્રસ્ટીગણ તરફથી એવુ કહેવાયું છે કે, મંદિર કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં હોવાથી આર્મી મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવા મંજૂરી નથી આપતી. જો આર્મી મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવાની મંજૂરી આપે તો સરકારની તમામ ગાઈડલાઈનના પાલન સાથે બે દિવસમાં કેમ્પ હનુમાન મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મૂકાશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો