સુરેન્દ્રનગરના પાટડી નજીક કાર-ડમ્પર વચ્ચે અકસ્માતમાં 7ના મોત, ચોટીલા દર્શન કરી પરત ફરતા પાટણ જિલ્લાના રહીશોને નડ્યો અકસ્માત
સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ખેરવા ગામ પાસે કાર અને ડમ્પર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં સાત લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતને પગલે કારમાં આગ લાગી હતી. જેમાં કેટલાક બળીને ભડથુ થઈ ગયા હતા. ચોટીલામાં મા ચામુંડાના દર્શન કરીને પાટણ પરત ફરી રહ્યા હતા તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. કારમાં કુલ આઠ લોકો સવાર હતા. અકસ્માતમાં એક […]
સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ખેરવા ગામ પાસે કાર અને ડમ્પર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં સાત લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતને પગલે કારમાં આગ લાગી હતી. જેમાં કેટલાક બળીને ભડથુ થઈ ગયા હતા. ચોટીલામાં મા ચામુંડાના દર્શન કરીને પાટણ પરત ફરી રહ્યા હતા તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. કારમાં કુલ આઠ લોકો સવાર હતા. અકસ્માતમાં એક મહિલાનો બચાવ થયો છે જો કે તેને પણ ઈજા પહોચી છે. પ્રાપ્ત વિગતો મુજબ મૃત્યુ પામેલા સાત પૈકી 4 લોકો સાંતલપૂરના કોરડા ગામના હતા. જ્યારે બાકીના ત્રણ રાધનપુરના નાનાપુરા ગામના રહેવાસી છે. અકસ્માતમાં નિપજેલા મોતને પગલે, કોરડા અને નાનાપુરા ગામ શોકમાં મગ્ન થઈ ગયુ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો