સુરત: પુણાગામમાં આવેલી ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીમાં લાગી ભીષણ આગ, 2 લોકોના મોત
સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીમાં આગ લાગતા બે લોકોના મોત થયા છે. સાડી અને જરી પોલીશીંગના નાના કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. રાત્રે 3 વાગ્યા આસપાસ આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. Web Stories View more આજનું રાશિફળ તારીખ […]
સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીમાં આગ લાગતા બે લોકોના મોત થયા છે. સાડી અને જરી પોલીશીંગના નાના કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. રાત્રે 3 વાગ્યા આસપાસ આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
પરંતુ ત્યાં સુધીમાં દુકાનમાં અંદરથી લોક મારી સુઈ રહેલા બે કારીગરોનું ધુમાડાના કારણે ગૂંગળાઈ જતા મોત થયું હતું. બંન્ને મૃતક કારીગરો મૂળ રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે. આગની ઘટનાને લઈ ફાયર વિભાગ અને પોલીસે તપાસ કરતાં દુકાનમાંથી 10 જેટલી ગેસની બોટલો મળી આવી હતી અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: શાહીનબાગમાં પ્રદર્શનોની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી