VIDEO: રાજકોટમાં બન્યું દેશનું પ્રથમ આયુર્વેદ કોવિડ કેર સેન્ટર, નિષ્ણાંત આયુર્વૈદિક તબીબો આપશે સારવાર
સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. આયુર્વેદ કોરોના સામે અક્સીર ઉપાય સાબિત થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં ભારતનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. એરપોર્ટ રોડ પરની ખાનગી હોટલમાં 90 બેડના કોવિડ કેર સેન્ટરને મંજૂરી આપવામાં આવી છે. નિષ્ણાત આયુર્વૈદિક તબીબોની ટીમ દ્વારા સારવાર અપાશે અને યોગ ટ્રેનર પણ […]
સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. આયુર્વેદ કોરોના સામે અક્સીર ઉપાય સાબિત થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં ભારતનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. એરપોર્ટ રોડ પરની ખાનગી હોટલમાં 90 બેડના કોવિડ કેર સેન્ટરને મંજૂરી આપવામાં આવી છે. નિષ્ણાત આયુર્વૈદિક તબીબોની ટીમ દ્વારા સારવાર અપાશે અને યોગ ટ્રેનર પણ ઉપલબ્ધ હશે. અહીં લક્ષણો વગરના દર્દીઓ કે જેમને ઘરે આઈસોલેટ થવાની સગવડ ન હોય તેમને નજીવા ખર્ચે સારવાર આપવામાં આવશે. આ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની સારવારનો એક ડેટા પણ રાખવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો