અમદાવાદમાં પરંપરાગત રથયાત્રા તો ના નિકળી, પણ બાળ રથયાત્રા કાઢનારની ધરપકડ કરાઈ
અમદાવાદમાં છેલ્લા 142 વર્ષથી નિકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા તો ના નિકળી, પણ શાહપુરમાં બાળ રથયાત્રા યોજનારાની પોલીસે ધરપકડ કરી. આ વર્ષે રથયાત્રા નિકળશે કે નહી નિકળેની અસંમજસની સ્થિતિ વચ્ચે શાહપુરમાં કેટલાક વ્યક્તિઓએ, બાળકોને સાથે રાખીને, ગઈકાલે બાળકોના રમકડાઓ વડે બાળ રથયાત્રાનું આયોજન કર્યું હતું. પોલીસ પરવાનગી વિના બાળ રથયાત્રા કેમ કાઢી ? જાહેરનામાનો ભંગ કર્યો […]
અમદાવાદમાં છેલ્લા 142 વર્ષથી નિકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા તો ના નિકળી, પણ શાહપુરમાં બાળ રથયાત્રા યોજનારાની પોલીસે ધરપકડ કરી. આ વર્ષે રથયાત્રા નિકળશે કે નહી નિકળેની અસંમજસની સ્થિતિ વચ્ચે શાહપુરમાં કેટલાક વ્યક્તિઓએ, બાળકોને સાથે રાખીને, ગઈકાલે બાળકોના રમકડાઓ વડે બાળ રથયાત્રાનું આયોજન કર્યું હતું. પોલીસ પરવાનગી વિના બાળ રથયાત્રા કેમ કાઢી ? જાહેરનામાનો ભંગ કર્યો છે ? તેમ કહીને બાળ રથયાત્રા કાઢનારા ચાર વ્યક્તિઓની, શાહપુર પોલીસે ઘરપકડ કરી.