વિસનગરના લાછડી ગામે હોળીના સળગતા અંગારા પર ચાલવાની 100 વર્ષ જૂની પરંપરા

હોળી ( Holi ) પર્વે મહેસાણાના વિસનગર ( vishnagar ) નજીક આવેલા લાછડી ( lachhdi ) ગામે અનોખી પરંપરા જોવા મળે છે. સળગતા અંગારા ઉપર ચાલીને અહી હોળીના તહેવારની ઉજવણી અનોખી પરંપરા જાળવવામાં આવે છે.

| Updated on: Mar 29, 2021 | 3:05 PM

હોળીના ( holi ) પર્વે ગુજરાતના અનેક ગામમાં પરંપરાગત ઉજવણી કરવામાં આવતી હોય છે. મહેસાણાના ( mahesana )  વિસનગર ( vishnagar ) તાલુકાના લાછડી (lachhdi)  ગામે પણ છેલ્લા 100 વર્ષથી એક પરંપરા ચાલી આવે છે. લાછડી ગામે હોળીના દિવસે હોળી પ્રગટાવ્યા બાદ, તેના અંગારા ઉપર અબાલ વૃધ્ધ સૌ કોઈને ચાલવાની પરંપરા છે. લાછડી ગામે છેલ્લા 100 વર્ષથી ચાલી આવતી આ પરંપરા મુજબ અંગાર ઉપર ચાલવાથી એક પણ ગ્રામ્યજનને પગે દાઝી ગયાનો બનાવ બન્યો નથી. આ પરંપરા પેઢી દર પેઢી આગળ વધી રહી છે. આજે નાની ઉમરના બાળકો પણ હોશે હોશે રમતા રમતા સળગતા અંગારા ઉપર ચાલે છે.

હોળી પર્વે મહેસાણાના વિસનગર નજીક આવેલા લાછડી ગામે અનોખી પરંપરા જોવા મળે છે. સળગતા અંગારા ઉપર ચાલીને અહી હોળીના તહેવારની ઉજવણી અનોખી પરંપરા જાળવવામાં આવે છે. લાછડી ગામે હોળી દહન પછી જે અંગારા ઠારવામાં આવે છે. અને તેના પર ગામના યુવાનો ખુલ્લા પગે ચાલે છે.

આ પરંપરા વિષે ગામના લોકોનું કહેવું છે કે આ પ્રથા વર્ષોથી ચાલે છે, અંગાર પર ચાલવા પાછળ શું કોઇ ઇતિહાસ છે કે નહીં તેની ગામના કોઇને જાણકારી નથી. પરંતુ પેઢી દર પેઢી આ પ્રથા ચાલી આવે છે. હોળીના દહન પછી પડેલા અંગારામાં ચાલવાનો વિચાર માત્રથી આપણા રૂવાંડા ઉભા થઇ જાય છે, ત્યારે લાછડી ગામે હોળીના દહન પછી જે અંગારાઓ પડે છે તેના યુવાનો, યુવતીઓ, બાળકો ખુલ્લા પગે ચાલે છે.

આ પરંપરાને નિહાળવા માટે, વિસનગર તાલુકાના અનેક ગામ ઉપરાંત લોકો દુર દુરથી આવે છે. અંગારા પર શ્રધ્ધાથી ચાલતા લોકો પગમાં જરા પણ દાજતા નથી.

 

Follow Us:
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">