બજારમાંથી ખરીદેલું ઘી અસલી છે કે નકલી? આ સરળ પદ્ધતિઓથી ચેક કરો
ખોરાકનો સ્વાદ વધારવા ઘી (Ghee) નો ઉપયોગ થાય છે. સાથે જ ઘણા રોગોથી મુક્તિ મેળવવા માટે દવા તરીકે દેશી ઘી વપરાય છે. પરંતુ તેની અસર ત્યારે જ થાય છે જો તે ઘી શુદ્ધ હોય.
ખોરાકનો સ્વાદ વધારવા ઘી (Ghee) નો ઉપયોગ થાય છે. સાથે જ ઘણા રોગોથી મુક્તિ મેળવવા માટે દવા તરીકે દેશી ઘી વપરાય છે. પરંતુ તેની અસર ત્યારે જ થાય છે જો તે ઘી શુદ્ધ હોય. બજારમાં મળતું ઘી શુદ્ધ છે કે નહીં તે જાણવા માટે આ સરળ ટીપ્સ (Tips) અને ટ્રીક (Trick) ના ઉપયોગથી જાણી શકાય છે.
ઘીને ઉકાળીને ચેક કરો
બજારમાંથી ખરીદેલા ઘીમાંથી ચારથી પાંચ ચમચી ઘી લો અને તેને વાસણમાં નાખીને ઉકાળો. ત્યારબાદ ઘીના આ વાસણને 24 કલાક સુધી અલગ રાખો. જો 24 કલાક પછી પણ ઘી દાણાદાર રહે અને તેમાં સુગંધ આવે તો ઘી અસલી છે. જો ઘીમાં આ બંને ગુણધર્મ ના હોય તો સમજો કે આ ઘી નકલી હોઈ શકે છે.
મીઠાના ઉપયોગ દ્વારા ચકાસો
ઘી અસલી છે કે નકલી તેની ચકાસણી માટે તમે મીઠાનો ઉપયોગ પણ કરી શકો છો. તેના માટે એક વાસણમાં બે ચમચી ઘી, 1/2 ચમચી મીઠું અને એક ચપટી હાઇડ્રોક્લોરિક એસિડ લો. આ બધાને મિક્ષ કરી અને તૈયાર મિશ્રણને 20 મિનિટ માટે અલગ રાખો. 20 મિનિટ બાદ તે ઘીનો રંગ તપાસો. જો ઘીનો રંગ ના રહે, તો ઘી અસલી છે. પરંતુ જો ઘી લાલ દેખાય છે કે અન્ય કોઈ રંગનું દેખાય છે, તો સમજી લો ઘી નકલી હોઈ શકે છે.
પાણીના ઉપયોગથી ચકાસણી
પાણીનો ઉપયોગ કરીને ઘી અસલી છે કે નકલી તે સરળતાથી જાણી શકાય છે. આ માટે પહેલા એક ગ્લાસમાં પાણી ભરો અને એક ચમચી ઘી નાખો. જો ઘી પાણી પર તરતું જોવા મળે તો તમે સમજી લો કે ઘી અસલી છે. જો ઘી પાણીની નીચેના ભાગે સ્થિર થાય તો ઘી નકલી હોઈ શકે છે.