સ્ટ્રીટ ફૂડના ચટાકા બાદ ભારે પડી શકે છે ફૂડ પોઇઝનિંગ

સ્ટ્રીટ ફૂડ ખાવાનું લગભગ બધાને જ ગમતું હોય છે. રસ્તા પર મળતી ભેળ, કચોરી, પાણીપુરીના ટેસ્ટનું પૂછવું જ શું ? પણ કેટલાક લોકો આ સ્વાદના ચક્કરમાં આરોગ્યને ભૂલી જતા હોય છે. અને જેના કારણે ફૂડ પોઇઝનિંગનો શિકાર બનવું પડે છે. ફૂડ પોઇઝનિંગ વખતે જો ધ્યાન રાખવામાં નહિ આવે તો ઘણા ઘાતક પરિણામો પણ આવે છે. […]

સ્ટ્રીટ ફૂડના ચટાકા બાદ ભારે પડી શકે છે ફૂડ પોઇઝનિંગ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:13 PM

સ્ટ્રીટ ફૂડ ખાવાનું લગભગ બધાને જ ગમતું હોય છે. રસ્તા પર મળતી ભેળ, કચોરી, પાણીપુરીના ટેસ્ટનું પૂછવું જ શું ? પણ કેટલાક લોકો આ સ્વાદના ચક્કરમાં આરોગ્યને ભૂલી જતા હોય છે. અને જેના કારણે ફૂડ પોઇઝનિંગનો શિકાર બનવું પડે છે. ફૂડ પોઇઝનિંગ વખતે જો ધ્યાન રાખવામાં નહિ આવે તો ઘણા ઘાતક પરિણામો પણ આવે છે. આજે અમે તમને બતાવીશું ફૂડ પોઇઝનિંગના કારણો અને ઉપાયો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ફૂડ પોઇઝનિંગ શું હોય છે ? ફૂડ પોઇઝનિંગ એક પ્રકારનું સંક્રમણ જ છે. જે સ્ટેફિલોકોક્સ નામના બેક્ટેરિયા, વાયરસ અને અન્ય જીવાણુથી થાય છે. આ બેક્ટેરિયા કોઈપણ પદાર્થને ખરાબ કરી દે છે. ફૂડ પ્રોસેસિંગ સમયે બેકેટરીયા આવી શકે છે. ખેતીમાં ગંદા પાણીનો ઉપયોગ કરવો અથવા ખાણીપીણીમાં ગંદા હાથોથી બનાવવું કે સફાઈમાં ધ્યાન ન રાખવાથી આ થઈ શકે છે.

શું છે ફૂડ પોઇઝનિંગના લક્ષણો ? 1). પેટમાં દુઃખાવો 2). લોહી પડવા સાથે ડાયેરિયા 3). ઠંડી સાથે તાવ આવવો 4). માથાનો દુઃખાવો 5). કમજોરી અને ઉલટી

ઘરગથ્થુ ઈલાજ : 1). એક ગ્લાસ હૂંફાળા પાણીમાં ફિલ્ટર કર્યા વિના સફરજનનો સિરકો નાંખીને મિક્સ કરીને દિવસમાં બે વાર સેવન કરવુ જોઇએ. જેનાથી બેક્ટેરિયાનો નાશ થાય છે.

2). એક ગ્લાસ પાણીમાં અડધું લીંબુ અને અડધી ચમચી મધ નાંખીને મિક્સ કરીને સવાર સાંજ બે વાર પીવાથી પણ રાહત મળે છે.

3). એક કપ પાણીમાં તુલસીના તેલના એક બે ટીપાં નાંખવાથી દિવસમાં બે વાર તે લેવું જોઈએ.

4). લસણની બે ત્રણ કળીઓને છોલીને કાચી ખાઈ શકાય છે. અથવા તેને મધમાં ભેળવીને પણ ખાઈ શકાય છે. લસણમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોવાથી બેક્ટેરિયાનો પ્રભાવ ઓછો કરી શકાય છે.

5). એક કે બે આદુના ટુકડા પાણીમાં ઉકાળી લેવા જોઈએ, પાંચ મિનિટ પાણીમાં રાખીને એ આદુને છોલીને મધ સાથે ચાવીને ખાઈ શકાય છે. આ ઉપરાંત નાસ્તામાં બે બાફેલા ઈંડા અથવા વિટામિન સી યુક્ત ખાદ્ય પદાર્થો ખાઈ શકાય છે.

ફૂડ પોઇઝનિંગ થાય ત્યારે પ્રવાહીયુક્ત ખોરાક વધુ લેવો જોઈએ. કંઈ પણ ખાતા પહેલા હાથ ધોવાનો આગ્રહ રાખવો જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">