આજથી જ તાંબાના વાસણમાં પાણી પીવાનું શરૂ કરો અને ફાયદા જાતે જ અનુભવો

ભારતીય સંસ્કૃતિમાં એક પરંપરા છે. તાંબાના વાસણમાં આખી રાત પાણી રાખીને બીજે દિવસે સવારે પાણી પીવું. તાંબાના વાસણનો ઉપયોગ કરવાથી શરીરને જરૂરી એવું ખનીજ પ્રાપ્ત થાય છે, જેનાથી આપણને કેટલાંય શારીરિક લાભ પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે તાંબુ બેક્ટેરિયાનાશક પણ છે. આયુર્વેદમાં આ વાતનો ઉલ્લેખ છે કે, કોઇપણ તાંબાના વાસણમાં કમ સે કમ, આઠ […]

આજથી જ તાંબાના વાસણમાં પાણી પીવાનું શરૂ કરો અને ફાયદા જાતે જ અનુભવો
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 18, 2020 | 2:59 PM

ભારતીય સંસ્કૃતિમાં એક પરંપરા છે. તાંબાના વાસણમાં આખી રાત પાણી રાખીને બીજે દિવસે સવારે પાણી પીવું. તાંબાના વાસણનો ઉપયોગ કરવાથી શરીરને જરૂરી એવું ખનીજ પ્રાપ્ત થાય છે, જેનાથી આપણને કેટલાંય શારીરિક લાભ પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે તાંબુ બેક્ટેરિયાનાશક પણ છે.

આયુર્વેદમાં આ વાતનો ઉલ્લેખ છે કે, કોઇપણ તાંબાના વાસણમાં કમ સે કમ, આઠ કલાક પાણી ભરીને રાખ્યા બાદ, તે પાણી પીવાથી આપણા શરીર ઉપર તેની ખૂબ સારી અસર થાય છે, અને રોગ આપણાં શરીરથી ચાર ગાઉ દૂર રહે છે. તાંબુ શરીરથી કફ, પિત્ત અને વાતને દૂર રાખે છે તેમજ શરીરમાં પાણીના લેવલને પણ બનાવી રાખે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

તાંબું પાચનક્રિયાને મજબૂત બનાવવાનું કામ કરે છે, જો શરીરની પાચનશક્તિ મજબૂત હોય, તો શરીરની ચરબી આપોઆપ ઘટતી હોય છે. તેથી પાચનશક્તિ મજબૂત બનાવવી હોય, અને વજન ઘટાડવું હોય તો, તાંબાના વાસણમાં પાણી જરૂર પીવું જોઇએ. જેને આર્થરાઇટીસની તકલીફ હોય તેને માટે પણ તાંબાના, વાસણમાં રહેલું પાણી લાભદાયી છે. જેને ઔથાઇરોઇડની તકલીફ છે, તે લોકોએ પણ તાંબાના વાસણમાં, રાખેલું પાણી ચોક્કસ પીવું જોઇએ. તે બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખવાનું કાર્ય પણ કરે છે, અને કોલેસ્ટરોલ ઘટાડવાનું કાર્ય પણ કરે છે.

પરંતુ કેટલાક એવા પીણાં અને ખાદ્ય પદાર્થ છે, જેનું સેવન ભૂલથી પણ તાંબાના ગ્લાસ, અથવા વાસણમાં ન કરવું જોઇએ. તેનાથી તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોંચી શકે છે. જાણો, તે પીણા અને વસ્તુઓ વિશે જેને તાંબાના વાસણમાં ખાવા-પીવાનું ટાળવું જોઇએ.

છાશ પીવાનું ટાળો છાશ દહીંમાંથી તૈયાર થાય છે અને દહીં તથા છાશનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. પરંતુ જ્યારે તમે તાંબાના ગ્લાસમાં છાશ પીઓ છો ત્યારે સ્વાસ્થ્યને ફાયદો પહોંચવાની જગ્યાએ તમને કેટલાય પ્રકારના સાઇડ ઇફેક્ટ્સ પણ થઇ શકે છે. છાશમાં રહેલાં ગુણ તાંબા સાથે મળીને રિયેક્ટ કરી શકે છે. તાંબાના ગ્લાસમાં જ્યારે તમે છાશ નાંખો છો અને તેને થોડીવાર તેમાં જ રહેવા દો છો તો છાશમાં રહેલાં ગુણોનું અસ્તિત્ત્વ ઘટી જાય છે જેનાથી તમારા સ્વાસ્થ્યને કોઇ લાભ પહોંચતો નથી.

ખાટી વસ્તુઓને તાંબામાં ન રાખશો ખાટી વસ્તુઓ જેવી કે કોઇ કાપેલું ખાટું ફળ, અથાણું, સોસ, ઘરની બનેલી ચટણી, મુરબ્બો વગેરેને તાંબાના વાસણમાં રાખવાનું ટાળો. આ પ્રકારની ખાટી વસ્તુઓ તાંબા સાથે મળીને રિયેક્શન કરી શકે છે. તેનાથી તમને ઉલ્ટી, ઉબકાની સમસ્યા, વિકનેસનો અનુભવ વગેરે જેવી સમસ્યાઓ આવી શકે છે. મોડા સુધી આ ખાટી વસ્તુઓને જ્યારે તમે તાંબાના વાસણમાં રાખી મુકો છો અને ખાઓ છો ત્યારે તમને કોપર પૉઇઝનિંગની સમસ્યા પણ થઇ શકે છે.

લીંબૂ પાણી તાંબાના ગ્લાસમાં પીવાનું ટાળો મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે સવારે લીંબૂ પાણી પીતા હોય છે. પરંતુ, તાંબાના ફાયદા મેળવવા માટે જો તમે લીંબૂ પાણીને કૉપર ગ્લાસમાં નાંખીને પીઓ છો તો તે નુકશાનકારી સાબિત થઇ શકે છે. લીંબૂમાં એસિડ હોય છે. આ એસિડ તાંબાની સાથે મળીને સ્વાસ્થ્ય પર ઊંધી અસર કરી શકે છે. તાંબાના ગ્લાસમાં લીંબૂ પાણી પીવાથી તમને ગેસ, પેટનો દુખાવો, ઉલ્ટી વગેરે જેવી સમસ્યા શરૂ થઇ શકે છે.

આ પણ વાંચોઃકોણ કહે છે કે, ઘી ફક્ત ચરબી જ વધારે છે ? ઘી ખાવાના આ છે બીજા ફાયદાઓ !

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">