AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DIET: બીપીથી લઈને કબજીયાત સુધીની બીમારી માટે રામબાણ ઈલાજ, અપનાવો આ ડાયટ

DIET: જ્યારે પ્રોટીનથી ભરપૂર ડાયટની વાત આવે છે, ત્યારે કાબુલી ચણા (CHICKPEA) જરૂર શામેલ હોય છે ચણા સરળતાથી ઉપલબ્ધ અને બનાવવામાં સહેલા હોય આવે છે.

DIET: બીપીથી લઈને કબજીયાત સુધીની બીમારી માટે રામબાણ ઈલાજ, અપનાવો આ ડાયટ
Charmi Katira
| Edited By: | Updated on: Feb 03, 2021 | 1:31 PM
Share

DIET:  જ્યારે પ્રોટીનથી ભરપૂર ડાયટની વાત આવે છે, ત્યારે કાબુલી ચણા (CHICKPEA) જરૂર શામેલ હોય છે ચણા સરળતાથી ઉપલબ્ધ અને બનાવવામાં સહેલા હોય આવે છે. કાબુલી ચણાને તમે ઘણી રીતે ખાઈ શકો છો. છોલે ટીક્કી, સલાડ, હમ્મસ જેવા ઘણા ઓપ્સન છે. જે કોઈપણ રીતે હાનિકારક નથી અને જો તમને શાકાહારી માટે પૂછવામાં આવે તો આ ખૂબ જ સારા વિકલ્પો છે. કાબુલી ચણામાં અન્ય કઠોળથી વધુ પ્રોટીન હોય છે.

આવો જાણીએ કાબુલી ચણા અંગે 100 ગ્રામ કાબુલી ચણા,આ 269 કેલેરી, 4 ગ્રામ ફેટ, 34-45 ગરમ કાર્બોહાઈડ્રેટ્સ, 9-12 ગ્રામ ફાઈબર, 6-7 ગ્રામ શુગર, 10-15 ગ્રામ પ્રોટીન હોય છે.

ચણા આયર્ન ખુબ જ સારો સ્રોત છે. ચણાના સેવનને કારણે એનિમિયાની સમસ્યા નથી. તેથી જયારે બાળકોમાં લોહીની કમી હોય ત્યારે ડોકટરો સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને ચણા ખાવાની ભલામણ કરે છે.

ચણા ફાયબરનું પાવર હાઉસ છે. તે ભૂખને કાબૂમાં રાખે છે અને ચણા ખાધા પછી ઘણા સમય સુધી એનર્જી રહે છે. જે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે.

કાબુલી ચણાને ડાયેટમાં સામેલ કરવાથી વધેલા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકો છો. હાઈ બ્લડ પ્રેશરને મેનેજ કરવા માટે તમારે દરરોજ લગભગ 470 મિલિગ્રામ પોટેશિયમની જરૂર હોય છે. તો એક કપ ચણાતમને 474 મિલિગ્રામ પોટેશિયમ આપે છે. ડાયાબિટીઝ ઘણા રોગોનું મૂળ છે. ડાયાબીટીસને નિયંત્રણમાં રાખવા માટે, ચણાનું સેવન વિવિધ રીતે કરો. કાબૂલી ચણાના એક કપમાં 12.5 ગ્રામ ફાઇબર હોય છે, જે ડાયાબિટીઝના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે.

કાબૂલી ગ્રામમાં સોલ્યુબલ ફાઈબર હોય છે ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે સારું હોય છે. પાચનતંત્રને સ્વસ્થ રાખવા ઉપરાંત શરીરના ટોકિન્સને દૂર કરવામાં પણ મદદ કરે છે.

આયર્ન, કેલ્શિયમ, વિટામિન સી, એ, ઇ, ફોલેટ, એન્ટિઓક્સિડન્ટ અને અન્ય ઘણા પ્રકારનાં પોષણથી ભરપૂર પોષણ અ ચણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે. એટલું જ નહીં, પૂરતા પ્રમાણમાં લેવાથી તમે એનિમિયાની સમસ્યાથી પણ બચી શકો છો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

g clip-path="url(#clip0_868_265)">