samantha : સાઉથની ક્વીને શાહરુખ ખાન સાથે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી, જાણો શું છે કારણ
ફેન્સ આતુરતાથી સાઉથની ક્વીન (Samantha)ના બોલિવૂડ ડેબ્યુની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે કામ કરવા માટે તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
samantha : સાઉથની ક્વીન સામંથા (Samantha) આજકાલ પોતાની અંગત જિંદગીને કારણે ચર્ચામાં છે. તેણે તાજેતરમાં જ તેના પતિ નાગા ચૈતન્ય સાથે અલગ થવાનો નિર્ણય કર્યો છે.
હવે સામંથા પોતાની કારકિર્દી(Careerપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તે પોતાને વ્યસ્ત રાખવા માટે ઘણું કામ કરી રહી છે. હવે જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, સામંથાએ શાહરુખ ખાન(Shahrukh Khan) સાથે કામ કરવાની ના પાડી દીધી હતી.
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો શાહરૂખ ખાન (Shahrukh Khan) ડિરેક્ટર એટલીની એક્શન ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મ માટે(Samantha)નો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ માટે હજુ સુધી કોઈ સત્તાવાર નામ આપવામાં આવ્યું નથી. હવે તેનું નામ લાયન રાખવામાં આવ્યું છે.
આ કારણે ના પાડી
શાહરૂખ ખાન (Shahrukh Khan) સાથે કામ કરવા માટે (Samantha)નો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેણે આ ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કર્યો કારણ કે તે નાગા ચૈતન્ય સાથે પરિવારને આગળ વધારવાની યોજના બનાવી રહી હતી. જે પછી આ ફિલ્મ માટે નયનતારાનો સંપર્ક કરવામાં આવ્યો અને તેણે હા પાડી. નયનતારાએ ફિલ્મનું શૂટિંગ (Shooting) પણ શરૂ કરી દીધું છે. હાલમાં તે શાહરૂખ ખાન વગર મુંબઈમાં ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. શાહરૂખ અને નયનતારા પુણેમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે સેટ પરથી બંનેની તસવીર વાયરલ થઈ હતી. શાહરૂખ અને નયનતારાને સાથે જોઈને ચાહકો ખૂબ ખુશ થયા છે.
સાઉંથમાં ધમાલ મચાવ્યા બાદ (Samantha)એ ડિજિટલ પ્લેટફોર્મ (Digital platform)પર પગ મૂક્યો છે. તે વેબ સિરીઝ ધ ફેમિલી મેન 2 માં જોવા મળી હતી. તેમનો અભિનય ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. હવે તે ટૂંક સમયમાં બોલિવૂડ (Bollywood)માં પદાર્પણ કરવા જઈ રહી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, (Samantha) ટૂંક સમયમાં તેની પ્રથમ બોલીવુડ ફિલ્મની જાહેરાત કરવા જઈ રહી છે. તે આ દિવસોમાં પોતાની ફિટનેસ પર પણ ઘણું ધ્યાન આપી રહી છે. વર્કઆઉટ કરતી વખતે તેણે વીડિયો શેર કર્યો હતો.
આ પણ વાંચો : દેવભૂમિ દ્વારકા: વીજ કરંટની બે ઘટનામાં 3 વ્યક્તિના મોત, ખેતરમાં રમતી હતી બાળકી અને વીજ વાયર પડ્યો નીચે
આ પણ વાંચો : ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતના યાત્રાળુ માટે સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર, સ્નેહીજનો વિગતો આપી તેમજ મેળવી શકશે