… જ્યારે ભારત સરકારે Dilip Kumarને એક સિક્રેટ મિશન પર પાકિસ્તાન મોકલ્યા હતા, કારગિલ યુદ્ધ રોકવામાં પણ ભજવી હતી મહત્વની ભૂમિકા

અભિનેતા દિલીપ કુમારનું બુધવારે સવારે નિધન થયું છે. પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાને તેમની એક પુસ્તકમાં દાવો કર્યો હતો કે દિલીપકુમારને બે વાર ભારત સરકાર દ્વારા સિક્રેટ મિશન પર પાકિસ્તાન મોકલવામાં આવ્યા હતા. તેમણે 1999 માં કારગિલ યુદ્ધ દરમિયાન તત્કાલીન પાક વડાપ્રધાન નવાઝ શરીફ સાથે વાત પણ કરી હતી.

… જ્યારે ભારત સરકારે Dilip Kumarને એક સિક્રેટ મિશન પર પાકિસ્તાન મોકલ્યા હતા, કારગિલ યુદ્ધ રોકવામાં પણ ભજવી હતી મહત્વની ભૂમિકા
Dilip Kumar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2021 | 10:49 AM

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર (Dilip Kumar) નું આજે 98 વર્ષની વયે અવસાન થયું છે. લાંબા સમયથી તબિયત લથડતા દિલીપ કુમારે બુધવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. દિલીપ કુમારને શ્વાસની તકલીફના કારણે ગત સપ્તાહે 30 જૂને મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બોલિવૂડમાં લગભગ 6 દાયકાથી કરિશ્મા બતાવનાર દિલીપ કુમારે કુલ 65 ફિલ્મો કરી છે. આ સૂચિમાં મોગલ-એ-આઝમથી લઈને ગંગા-જમુના અને ક્રાંતિ જેવી સુપરહિટ ફિલ્મો છે. તે છેલ્લે 1998 માં ફિલ્મ ‘કિલા’ માં અભિનય કરતા જોવા મળ્યા હતા.

દિલીપકુમારની ફિલ્મી કરિયર અને તેમની સાથે જોડાયેલી ઘણી બાબતો વિશે તમે સાંભળ્યું જ હશે. આજે અમે તમને દિલીપકુમાર સાથે જોડાયેલી આવી જ કેટલીક વાતો જણાવી રહ્યા છીએ, જેના વિશે તમને આજ સુધી ખબર નહીં હોય. પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાને 2015 માં તેમના એક પુસ્તકના લોકાર્પણ દરમિયાન દિલીપકુમાર વિશે ઘણી વિશેષ બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે તેમના પુસ્તક- Neither a Hawk Nor a Dove’ માં દિલીપ કુમારને લગતી ઘણી વાતો લખી છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

ભારત સરકાર દ્વારા બે વખત સિક્રેટ મિશન પર ગયા હતા પાકિસ્તાન

પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાન ખુરશીદ મહમૂદ કસૂરીએ તેમના પુસ્તકના લોકાર્પણ સમયે કહ્યું હતું કે દિલીપ કુમાર ભારત સરકારના સીક્રેટ મિશન પર બે વાર પાકિસ્તાન ગયા હતા. કસૂરીએ તે સમયે કહ્યું હતું કે, ‘ દિલીપ સાહેબની પત્ની સાયરા બાનોએ મને કહ્યું હતું કે તેઓ બે વખત પાકિસ્તાન સિક્રેટ મિશન માટે ગયા હતા. તેમને ભારત સરકાર દ્વારા વિશેષ વિમાન દ્વારા ઇસ્લામાબાદ મોકલવામાં આવ્યા હતા. મને લાગે છે કે આ દર ઝિયા-ઉલ-હક યુગનો હશે. બીજો તાજેતરના સમયમાં હશે. ‘પાકિસ્તાનના મીડિયા અહેવાલમાં કસુરીના હવાલા દ્વારા આ વાત કહેવામાં આવી છે.

ઓક્ટોબર 2015 માં કસુરી ભારતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તે દિલીપ કુમારને મુંબઈ સ્થિત તેમના ઘરે મળવા પણ ગયા હતા. તેમણે કહ્યું કે તેમણે જાણીજોઈને જીન્ના હાઉસ, મણિ ભવન સિવાય દિલીપકુમારના ઘરે જવાનું નક્કી કર્યું. કસુરી 2002 થી 2007 દરમિયાન પાકિસ્તાનના વિદેશ પ્રધાન હતા.

કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની વડાપ્રધાન સાથે વાત કરી

અગાઉ પણ કસૂરીએ દાવો કર્યો હતો કે દિલીપ કુમારે 1999 માં કારગિલ યુદ્ધ રોકવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે પણ વાતચીત કરી હતી. કસુરીએ કહ્યું હતું કે આ મામલો ત્યારે થયો જ્યારે ભારતીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ કારગિલ યુદ્ધ દરમિયાન એક બીજા સાથે વાત કરી રહ્યા હતા, તે દરમિયાન નવાઝ શરીફને દિલીપ કુમારનો ફોન કોલ આવ્યો હતો.

નવાઝ શરીફ અને દિલીપકુમાર વચ્ચે શું વાત થઈ?

કસૂરીએ તેમના પુસ્તકમાં લખ્યું છે કે દિલીપકુમાર (યુસુફ ખાન) નો અવાજ સાંભળી નવાઝ શરીફ ચોંકી ગયા હતા. તેમણે કહ્યું, ‘મિયાં સાહેબ, અમે તમારી પાસેથી આની અપેક્ષા નહોતી કરી કારણ કે તમે હંમેશા ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ જાળવવાના પક્ષમાં છો. એક ભારતીય મુસ્લિમ હોવાને કારણે, હું તમને એક વાત કહી રહ્યો છું કે પાકિસ્તાન અને ભારત વચ્ચેના તનાવને કારણે અહીંના મુસ્લિમોમાં અસલામતીની ભાવના ઉભી થશે, તેમને તેમના ઘરેથી નિકળવું પણ મુશ્કેલ બનશે. પરિસ્થિતિને કાબૂમાં રાખવા તમે કંઈક કરો.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">