Neetu Kapoor ને જ્યારે Ranbir Kapoor એ મધર્સ ડે પર આપી હતી ખાસ સરપ્રાઈઝ, ખુશીથી માતાને થયો હતો પુત્ર પર ગર્વ
આજે મધર્સ ડેના વિશેષ દિવસે બોલિવૂડ સેલેબ્સ તેમની માતા માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ શેર કરી રહ્યા છે.
આજે મધર્સ ડેના વિશેષ દિવસે બોલિવૂડ સેલેબ્સ તેમની માતા માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ શેર કરી રહ્યા છે. આજના ખાસ દિવસે નીતુ કપૂરે (Neetu Kapoor) રણબીર કપૂર (Ranbir Kapoor) સાથેના તેમના સંબંધો વિશે વાત કરી છે. ઋષિ કપૂર ના અવસાન પછી નીતુ અને રણબીર કપૂરના સંબંધો વધુ સારા બની રહ્યા છે. નીતુ કપૂરે જૂના દિવસોને યાદ કરતાં જણાવ્યું છે કે કેવી રીતે રણબીરે તેમને સરપ્રાઇઝ આપ્યું હતું.
નીતુ કપૂરે આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તેમના અને રણબીરના સંબંધો ઘણા જુદા થઈ ગયા છે. રણબીર ઘણી વાર તેમની માતા સાથે ફિલ્મ્સ, કલાકારો અને અભિનય વિશે વાત કરે છે. નીતુ કપૂરે મધર્સ ડે પર રણબીર દ્વારા આપેલા સરપ્રાઈઝને યાદ કર્યું છે.
નીતુ કપૂરે જણાવ્યું હતું કે જ્યારે રણબીર બ્લેક ફિલ્મમાં સહાયક નિર્દેશક તરીકે કામ કરી રહ્યો હતો, ત્યારે તેમણે થોડીક રકમ ઉમેરી હતી. ત્યારબાદ મધર્સ ડે નિમિત્તે તે તેમની માતાને રેસ્ટોરન્ટમાં લઈ ગયા હતા. તેમણે કહ્યું કે હોટલવાળા 100 રૂપિયામાં લંચ પ્લેટ આપતા હતા. આ વિશેષ ક્ષણને યાદ કરતાં તેમણે કહ્યું- મને તે દિવસે ખૂબ જ ગર્વ હતો. આ પહેલીવાર હતું જ્યારે રણબીરે મને પહેલી વાર લંચ પર લઈને ગયો હતો.
રિદ્ધિમાએ માતા માટે શેર કરી પોસ્ટ
રિદ્ધિમા કપૂરે માતા નીતુ કપૂર માટે એક ખાસ પોસ્ટ શેર કરી છે. તેમણે માતા સાથે ખૂબ જ સુંદર તસવીર શેર કરતાં લખ્યું – હું એક મજબુત મહિલા છું, કેમ કે મને એક મજબૂત મહિલા દ્વારા ઉછેરવામાં આવી છે. મારી આયર્ન લેડીને હેપ્પી મધર્સ ડે. ઘણો પ્રેમ.
ઋષિ કપૂરને યાદ કરતી રહે છે અભિનેત્રી
નીતુ કપૂર ઘણીવાર ઋષિ કપૂરને યાદ કરે છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ શેર કરે છે. ઋષિ કપૂરની પુણ્યતિથિ પર નીતુ કપૂરે એક જુની તસ્વીર શેર કરતા એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું – પાછલું આખું વર્ષ દુનિયા માટે દુ:ખ અને કષ્ટથી ભરેલ વીતી ગયું છે. અમારા માટે થોડું વધારે હતું કારણ કે અમે તેમને ગુમાવ્યા છે.
એક પણ દિવસ એવો નથી ગયો કે જેમાં અમે તેમના વિશે વાત કરી ન હોય અથવા તેમને યાદ ન કર્યાં હોય. ક્યારેક તેમની સલાહ તો ક્યારેક તેની મજાક. અમે આખું વર્ષ ચહેરા પર સ્મિત રાખીને યાદ રાખયા છે. તે હંમેશાં અમારા હૃદયમાં રહેશે અને અમે સ્વીકાર્યું છે કે હવે તેમના વિના જીવન પહેલા જેવું સમાન નહીં હોય, પણ જીવન ચાલતું રહે છે.